ગુજરાત

gujarat

Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા

By

Published : Jan 23, 2023, 3:17 PM IST

અમદાવાદમાં રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક આરોપી કોંગ્રેસના હોદ્દેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર છે. સાથે જ હેલ્થ કેર કંપનીની CEOની પણ ધરપકડ કરવામાં આવી છે. (Usury case in Ahmedabad)

Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલના વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા
Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલના વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા

વ્યાજખોર મામલે પોલીસની કાર્યવાહી, કોંગ્રેસના નેતા સહિત 3 ઝડપાયા

અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચ ખાતે જીગીશ પટેલ નામના રાઈસ મિલના વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ વ્યાજે લીધેલા 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ ચૂકવ્યા હોવા છતાં આરોપીઓએ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાની સામે 13 કરોડ 31 લાખની ઉઘરાણી બાકી બતાવી હતી. જેની સામે મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદી જીગીશ પટેલની ફરિયાદના આધારે કોંગ્રેસના હોદ્દેદાર જયેન્દ્રસિંહ પરમાર સહિત હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની CEO નિરાલી શાહની ધરપકડ કરી છે. આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો : પકડાયેલા આરોપી જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત Dysp છે. સાથે જ પોતે કોંગ્રેસમાં હોદ્દેદાર તરીકે પણ જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે. જયેન્દ્ર પરમારે ફરિયાદીને 38 લાખ 10 ટકાના વ્યાજે આપ્યા હતા. તેની સામે અંદાજે એક કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી. સાથે જ ઝડપાયેલ મહિલા આરોપી નિરાલી શાહે ફરિયાદીને એક કરોડ 33 લાખ 60 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે આપ્યા હતા, જેની સામે 1 કરોડ 82, લાખ 75 હજાર વસુલી લીધા હતા. ઉપરાંત જે મકાનમાં તે રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ ફરિયાદી પાસે ભરાવ્યું હતું. તેમ છતાં 1 કરોડ 90 લાખની બાકી ઉઘરાણી માટે 6 ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા. અન્ય આરોપી હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે 93 લાખ 50 હજાર વસુલી 14 લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી.

આ પણ વાંચો :Ahmedabad usurer : વ્યાજખોરી કરતા પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પુત્રની કરાઈ ધરપકડ

આરોપીઓ પાસેથી પોલીસને શું મળ્યું : ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા પોલીસને આરોપીઓના ઘરેથી 20 કોરા ચેક, 11 પ્રોમિસરી નોટ, 4 કોરા સ્ટેમ્પ, ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે. જેમાંથી નિરાળીના ઘરેથી 15 લાખની રિસિપ મળી છે. સાથે જ જાગૃત રાવલના ઘરેથી 20 કોરા ચેક, પ્રોમિસરી નોટ સહીતના દસ્તાવેજી પુરાવા કબજે કર્યા છે. આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે 92 લાખની સામે 40 ટકા વ્યાજ વસૂલી ત્રણ કરોડ 61 લાખ તેમજ મણીપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :Bhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ

આત્મહત્યા કરવા માટે પણ મજબૂર : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલના વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે તેમના બેંક સ્ટેટમેન્ટ વ્યાજખોરીના રૂપિયામાંથી ખરીદેલી મિલકત અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીઓના ત્રાસથી કંટાળી ફરિયાદી આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી આત્મહત્યા માટે ઘર છોડીને પણ ફરાર થયો હતો. જોકે પોલીસ એ તેને સહી સલામત શોધી લેતા તે વ્યાજના ખપ્પરમાં ફસાયો હોવાની હકીકત સામે આવી હતી. જે બાદ આ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખાના DCP ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે, આરોપીઓના નિવાસ્થાનેથી મળી આવેલા પુરાવાઓને જોતા અન્ય પણ લોકો આરોપીઓની વ્યાજની જાળમાં ફસાયા હોવાની આશંકા છે, ત્યારે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details