ગુજરાત

gujarat

કંગના રનૌત BJPની કઠપુતળી છે: જયંત પટેલ

By

Published : Sep 7, 2020, 4:05 PM IST

Updated : Sep 7, 2020, 6:25 PM IST

કંગના રનૌતે આપેલા નિવેદન બાદ રાજ્યભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રાજકારણ પણ હવે ગરમાયું છે. ગુજરાત NCPના પ્રમુખ જયંત પટેલ બોસ્કીએ ફિલ્મ કલાકારોને ચેતવણી આપતા જણાવ્યું કે, રાજકારણમાં પડશો નહીં નહીંતર ફેંકાઈ જશો.

Nationalist Congress Party
કંગના રનૌત BJPની કઠપુતળી છે, જયંત પટેલ બોસ્કી

અમદાવાદઃ તાજેતરમાં કંગના રાનૌતે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે આ બાબતે ગુજરાત NCPના પ્રમુખ જયંત પટેલે નિવેદન આપતાં જણાવ્યું છે કે, કંગના રનૌત ભારતીય જનતા પાર્ટીની કતપુતળી છે. ભારતીય જનતા પાર્ટી એટલી નબળી થઇ ગઈ છે કે, સામાન્ય ફિલ્મ સ્ટારને મોહરા બનાવી સુશાંત સિંહના કેસમાં કાઉન્ટર કરી મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનું કામ કરી રહી છે. ત્યારે હું ચોક્કસપણે ચેતવણી આપું છું કે, બોલિવૂડના સ્ટાર્સ રાજકારણમાં પડે નહીં નહીતર તમે જ ફેંકાઈ જશો. બાકી કંગના રાનૌતે તેનું પરિણામ તો ભોગવવું જ પડશે. ત્યારે કંગના રાનૌતને લઈને અમે વિરોધ કરીશું ત્યારે તેમના નિવેદનને પણ હાલ અમે વખોડી રહ્યા છે.

કંગના રનૌત BJPની કઠપુતળી છે, જયંત પટેલ બોસ્કી

NCP પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે અમે કલાકારોને વિનંતી કરી રહ્યા છે કે, કોઈપણ રાજકીય પક્ષનો હાથો ન બનવું જોઈએ. હાલ જે રીતે કલાકારો રાજકીય પક્ષનો હાથો બની રહ્યા છે, તેનાથી દૂર રહેવું જોઈએ. જો કે, સુશાંતસિંહ આત્મહત્યા કરી છે, તેની પાછળનું કારણ CBI અને તપાસ એજન્સી શોધી લેશે. હાલ દેશમાં હજારો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, તે પણ એક ચિંતાનો વિષય છે, તેની ચિંતા ભારતીય જનતા પાર્ટી કરે તો વધારે સારું રહેશે. જો કે, ભારતીય જનતા પાર્ટીને ખેડૂતોમાં કોઈ રસ જોવા મળી રહ્યો નથી. તેના કારણે જ હજારો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ

'ક્વિન'ને Y શ્રેણીની સુરક્ષા, કગંનાએ અમિત શાહનો માન્યો આભાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને વાઇ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવાને લઇનેન સ્વીકૃતિ આપી છે. કંગના રનૌતે તેના પર કહ્યું કે, દેશભક્તિનો અવાજ ફાસીવાદીને કચડી નાખશે નહીં.

7 સપ્ટેમ્બર :રાઉતના નિવેદન પર કંગનાનો વળતો જવાબ, કહ્યું- દેશમાં કોઇ પણ જગ્યાએ જવાની આઝાદી

મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતે માફી માગવાથી ઇન્કાર કરી દીધું છે. શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું કે, કંગનાને મહારાષ્ટ્રથી માફી માગવી જોઇએ. જે બાદ કંગનાએ ટ્વિટ કરીને સંજય રાઉતને વળતો જવાબ આપ્યો હતો. "સંજય જી, મને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે. મને મારા દેશમાં ક્યાંય પણ જવાની સ્વતંત્રતા છે. હું આઝાદ છું."

6 સપ્ટેમ્બર :શું કંગનામાં અમદાવાદને મિનિ પાકિસ્તાન કહેવાની હિંમત છે? : સંજય રાઉત

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે માફી માગવાની મનાઇ કર્યા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, કંગનાએ મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ. તેઓ કંગનાની માફી માગશે કે, કેમ તે અંગેના સવાલ પર સાંસદ રાઉતે કહ્યું કે, જો તે છોકરી (કંગના) મહારાષ્ટ્રની માફી માંગશે તો હું માફી માગવા વિશે વિચાર કરીશ. રાઉતે સવાલ કરતા કહ્યું કે, તેણે મુંબઈને મિની પાકિસ્તાન સાથે સરખાવ્યું છે, પરંતુ શું તે અમદાવાદને આમ કહેવાની હિંમત ધરાવે છે?

5 સપ્ટેમ્બર :કંગનાએ પાક અધિકૃત કાશ્મીર બાદ મુંબઇની તુલના તાલિબાન સાથે કરી

મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની શિવસેનાની સાથે જુબાની જંગ ચાલી રહી છે. સંજય રાઉતે કંગનાને મુંબઇ ન આવવા કહ્યું હતું, ત્યારે કંગનાએ મુંબઇની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી.

3 સપ્ટેમ્બર -કંગનાનો આરોપ- સંજય રાઉતે મુંબઈ ન આવવા આપી ધમકી

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન ફરવા ધમકી આપી છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, પહેલા મુંબઈની શેરીઓમાં આઝાદીના સૂત્રોચ્ચાર કરવામાં આવતા હતા અને હવે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. મુંબઈમાં આ શું ચાલી રહ્યું છે?

Last Updated : Sep 7, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details