અમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan Bharvad Murder Case) ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) બુધવારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ (Gujarat ATS Invokes Anti Terror) કલમ ઉમેરી હતી. આરોપી, મૌલાના અયુબ અને મૌલાના કમરગાની ઉસ્માની સામે કલમ ઉમેરી છે. ATSએ આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ 3(1)(1) અને 3(2) ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ ઉમેરી છે.
અયુબ મારવા માટે હથિયાર ની વ્યવસ્થા કરી
ATSએ જણાવ્યું કે, અમદાવાદના જમાલપુર ખાતે મૌલાના અયુબ જવારા વાલાના ઘરની તલાશી દરમિયાન ટીમને મૌલાના અયુબ દ્વારા લખાયેલ ધાર્મિક પુસ્તક મળી આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે મૌલાના અયુબ ની ધરપકડ કર્યા પછી એ વાતનો ખુલાસો થયો કે અયુબ જવારાવાલાએ તેને મારવા માટે હથિયારની વ્યવસ્થા કરી હતી. આ સાથે દિલ્હીના મૌલાના કમરગાની ઉસ્માનીની પણ ધરપકડ કરવામાં આવી હતી.