- કોહલીએ T20 વર્લ્ડકપમાં ગેર વર્તનના કારણે પસંદગીકારો પણ નાખુશ
- બે બેસ્ટમેનોએ જય શાહને ફોન કરી કોહલીની ફરીયાદ
- રવિચંદ્રન અશ્વિન કોહલીના વલણથી નારાજ
હૈદરાબાદ: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી ચુક્યા છે. T20 વર્લ્ડ કપ બાદ કોહલી રમતના સૌથી ટૂંકા ફોર્મેટનું કેપ્ટનિંગ કરતો જોવા મળશે નહીં, પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર બાદ કેપ્ટનશિપમાંથી હટી જવા માટે ટીમના ડ્રેસિંગ રૂમમાં ચર્ચા કરવામાં આવી હતી? ત્યાર બાદ સિનિયર ખેલાડી અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાએ બીસીસીઆઈના સચિવ જય શાહને ફોન કર્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર ટીમ ઇન્ડિયા અને કેપ્ટન વિરાટ કોહલી માટે મોટો ગેમ ચેન્જર સાબિત થયો. જાણવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા બે સિનિયર બેસ્ટ્સમેનો BCCIના સચિવ જય શાહ સુધી પહોંચ્યા હતા અને કોહલીની કેપ્ટનશીપ સામે વાંધો ઉઠાવ્યો છે.
અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાની ભારે ટીકા
અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાની ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન માટે ભારે ટીકા થઈ હતી. પૂજારાને ખાસ કરીને બેટિંગ માટે નિશાન બનાવવામાં આવ્યો હતો. પૂજારાએ પ્રથમ ઈનિગમાં54 બોલમાં 8 રન અને બીજા ઈનિગમાં80 બોલમાં 15 રન બનાવ્યા હતા, જ્યારે રહાણેએ પ્રથમ ઈનિગમાં 117 અને બીજા ઈનિગમાં 40 બોલમાં 15 રન બનાવ્યા હતા
વલ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાર્યા બાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, માનસિકતા રન બનાવવાની અને રન બનાવવાના રસ્તા શોધવાની હોવી જોઈએ. આઉટ થવા માટે બહુ ચિંતિત ન થઈ શકો, કારણ કે પછી તમે બોલરને રમતમાં સંપૂર્ણપણે લાવી રહ્યા છો. બાદમાં કોહલીએ પુજારા અને રહાણે બંનેને ખેંચ્યા હતા જ્યારે છેલ્લા દિવસે ભારત 170 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, છેલ્લી આઠ વિકેટ માત્ર 99 રનમાં પડી હતી. ન્યૂઝીલેન્ડને 139 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.
પૂજારા અને અજિંક્ય રહાણેએ જય શાહ સાથે વાત કરી હતી.