ગુજરાત

gujarat

Ranbir-Alia's Punjabi Wedding : 13મીથી મહેંદી સેરેમની થશે શરૂ, સ્વિટ્ઝરલેન્ડમાં મનાવશે હનીમૂન

By

Published : Apr 6, 2022, 5:53 PM IST

બોલિવૂડના મોસ્ટ અવેઈટેડ લગ્ન રણબીર કપૂર અને આલિયા ભટ્ટના(Ranbir-Alia's Punjabi Wedding) છે. આ દંપતી 17 એપ્રિલે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઇ રહ્યું છે. RK સ્ટુડીયો અથવા RK હાઉસમાં કરી શકે લગ્ન, ટુંક સમયમાં લગ્નનું સ્થળ નક્કી કરવામાં આવશે. લગ્નના વિવિધ ફંક્શનો 13 એપ્રિલથી શરૂ થશે(Mehndi Ceremony will start on 13th) કરવામાં આવશે.

Ranbir-Alia's Punjabi Wedding
Ranbir-Alia's Punjabi Wedding

ન્યુઝ ડેસ્ક : આલિયા ભટ્ટ 12 એપ્રિલ સુધી કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગમાં કામ કરશે. 13મી એપ્રિલે મહેંદી સેરેમની,(Mehndi Ceremony will start on 13th) 14મીએ મ્યુઝિક અને 16મીએ હલ્દી સેરેમની ઓજાશે. 17મીએ આલિયા અને રણબીરના લગ્ન થશે. આલિયા અને રણબીર પંજાબી વિધી વિધાન સાથે લગ્ન(Ranbir-Alia's Punjabi Wedding) કરશે.

હજી સુધી કંકોત્રીનું વિતરણ કરાયું નથી -આલિયા અને રણબીરે હજુ સુધી કોઈને કંકોત્રી આપી નથી. જોકે, કપૂર અને ભટ્ટ પરિવારે મહેમાનોને 14 થી 17 એપ્રિલ સુધી ફ્રી રહેવા માટે કહ્યું છે. રણબીર કપૂર સાથે વર્ષોથી કામ કરી ચૂકેલા તમામ ટેકનિશિયનને આમંત્રિત કરવામાં આવશે, જેમાં હેર-મેકઅપ આર્ટિસ્ટ, સ્પોટબોય, આસિસ્ટન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભટ્ટ અને કપૂર પરિવાર, અયાન મુખર્જી, ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા, કરણ જોહર, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ-કેટરિના કૈફને પણ લગ્ન માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અને શાહરૂખ ખાનને લગ્નમાં આમંત્રિત કરશે. તેમજ અર્જુન કપૂર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને અનુષ્કા રંજનને પણ આમંત્રણ પાઠવશે.

રિસેપ્શનમાં કોણ હશે? - એપ્રિલના અંતમાં રણબીર અને આલિયા એક ભવ્ય રિસેપ્શન આપવાના છે. રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહેવાની શક્યાતાઓ રહેલી છે. રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, શાહરૂખ ખાન, અયાન મુખર્જી, અનિલ કપૂર, અર્જુન કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, અનુષ્કા રંજન, વરુણ ધવન, કરણ જોહર અને ટાઈગર શ્રોફ હાજર રહેશે.

હનીમૂન માટે જશે સ્વિટ્ઝર્લેન્ડ -આલિયા ભટ્ટ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગ માટે આવતા મહિને 8-10 દિવસ માટે સ્વિટ્ઝરલેન્ડ જવાની છે. કરણ જોહરની ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય નાયકની ભુમિકામાં છે. માનવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર પણ સ્વિત્ઝરલેન્ડ જશે.

આલિયા કયા પોશાક પહેરશે? -આલિયા ભટ્ટના લગ્નના પોશાકની વાત કરીએ તો, અભિનેત્રી મનીષ મલ્હોત્રા અને સબ્યસાચીના ડિઝાઇનર કરેલા વસ્ત્રો ધારણ કરશે.

ABOUT THE AUTHOR

...view details