ગુજરાત

gujarat

સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો, કરી આ રજુઆત...

By

Published : Jan 31, 2022, 7:38 PM IST

આજરોજ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનો (South Gujarat Farmers Society) મોરચો સુરત જિલ્લા કલેકટર કચેરી (Surat District Collectorate) ખાતે પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ખેડૂત આંદોલન વખતની લિખિત ગેરંટીનો હજી સુધી અમલવારી થઈ નથી, જેને લઇ

સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો, કરી આ રજુઆત...
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો, કરી આ રજુઆત...

સુરત : દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના(South Gujarat Farmers Society) આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેકટર કચેરી (Surat District Collectorate) પહોંચી કલેકટર મારફતે દેશના મહિલા રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરવામાં આવી છે, કે દક્ષિણ ગુજરાત ખેડૂત આગેવાનો કેન્દ્રની ભાજપ સરકાર સાથે કરેલા આંદોલનના મુદ્દાઓને લઈને કરેલા લેખિત સમાધાન અંગે આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ જ MSPની ગેરંટી આપતો કાયદો ભણવા કેન્દ્રીય કમિટી બનાવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેનું અમલીકરણ હજી સુધી કરવામાં આવ્યું નથી. જેને લઇને કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો, કરી આ રજુઆત...

આ પણ વાંચો:સુરત: ઓલપાડ ખાતે ખેડૂત સમાજ સંઘ દ્વારા નવા કૃષિ બિલનો વિરોધ

લેખિતમાં આપેલી બહેદારીનું અમલીકરણ કરવામાં આવ્યું નથી

દેશમાં કિશાન કાયદો બનાવવામાં આવ્યો હતો, આ કાયદાની વિરુદ્ધમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી 300થી વધુ ખેડૂત સંગઠનો મળીને દિલ્હીના બોડર સુધી 13 મહિના સુધી આંદોલન કર્યું હતું, ત્યાર બાદ કેન્દ્ર સરકાર તરફથી 9 ડીસેમ્બરના રોજ એમ કહેવામાં આવ્યું કે, તમારી માંગો પુરી કરવામાં આવશે, જેને લઇને તમામ ખેડૂત સંગઠનોએ 11 ડિસેમ્બરના રોજ આંદોલન પાછું ખેંચી લીધું હતું. સરકાર તરફથી લેખિતમાં જે બહેદારી આપવામાં આવી હતી, તેનું અમલીકરણ હજી સુધી કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો:દરેક જિલ્લામાં બંધની અસર જોવા મળશે, 12 ડિસેમ્બરે ગુજરાતના ખેડૂતો દિલ્હી જશે : ગુજરાત ખેડૂત સમાજ

કેન્દ્ર સરકારે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે

MSP નિર્ધારણ માટે જે કમિટી બનાવવાની હતી તેની ઉપર પણ હજી સુધી કોઈ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી નથી. આંદોલન દરમિયાન જે ખેડૂતો ઉપર કેસ કરવામાં આવ્યા હતા. તે કેસો પણ હજી સુધી પાછા ખેંચવામાં આવ્યા નથી. આંદોલન દરમિયાન શહીદ થયેલા કિસાનોને જે સહાય આપવામાં આવાની હતી, તેની ઉપર પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, એ જોઈને અમને એમ લાગી રહ્યું છે કે, અમારી સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. સરકાર તરફથી આપવામાં આવેલી બહેદારી અને તેના અમલીકરણ માટે દેશના રાષ્ટ્રપતિને કલેકટર મારફતે રજૂઆત કરી રહ્યા છે અને એમને નિવેદન છે કે, આ માંગ ઉપર ધ્યાન આપે.

ABOUT THE AUTHOR

...view details