ETV Bharat / city

બીમા પાક પોલિસીમાં નુકસાની વળતર ખૂબ જ ઓછું : ખેડૂત સમાજ

author img

By

Published : Aug 10, 2020, 3:24 PM IST

ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજના અંગેની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે. ખેડૂતલક્ષી આ સરકારની સૌથી મોટી જાહેરાત છે. જેમાં ખેડૂતોને 1800 કરોડનો સીધો ફાયદો થશે. ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે આ યોજના અંગે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. ખેડૂત સમાજે વીમાની રકમને ઓછું ગણાવ્યું છે.

khedut
બીમા પાક પોલિસી

સુરત: રૂપાણી સરકારે ગુજરાતમાં ખરીફ પાક માટે ફ્રી વીમા યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વની જાહેરાત કહી શકાય છે. આ કિસાન સહાય યોજના મુજબ હવે નાના-મોટા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. દર વર્ષે જે રીતે ખેડૂતો દુષ્કાળ, અતિવૃષ્ટી અને માવઠાથી થનારા નુકસાનનો ખેડૂતોને લાભ મળશે.

બીમા પાક પોલિસીમાં નુકસાની વળતર ખૂબ જ ઓછું : ખેડૂત સમાજ

જેઓએ વીમાનું પ્રીમિયમ ભર્યા વિના પણ આ યોજનાનો લાભ મળશે. બીજી બાજુ ગુજરાત ખેડૂત સમાજે જણાવ્યું છે કે ,સરકારે જે યોજના બહાર પાડી છે તે આવકારદાયક છે, પરંતુ જે વીમાની રકમ નુકસાની સામે આપવામાં આવી રહી છે તે ખૂબ જ ઓછું છે.

સરકારને આ અંગે ખેડૂતો સાથે વાતચીત કરવી જોઈતી હતી.જેથી આ યોજનાનો પૂરતો લાભ ખેડૂતોને મળી શકે.પરંતુ આ યોજનાથી જ આદિવાસી સમાજના ખેડૂતો છે જેઓને ચોક્કસથી લાભ મળશે. ખેડૂતો સમાજે જણાવ્યું છે કે, જો નુકસાન ૩3 ટકાથી ઓછું એ હશે તો એક પણ રૂપિયો વળતર ચૂકવવામાં આવશે નહીં,બીજી તરફ જો નુકસાની 30 થી 60 ટકા હ.શે તો રૂપિયા 20000 ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જો નુકસાન 60 ટકાથી વધુ હશે. તો રૂપિયા 25000 નુકશાની વળતર પેટે આપવામાં આવશે.

જે રીતે મુખ્યપ્રધાને જાહેરાત કરી છે તે નુકસાની વળતર ખૂબ જ ઓછું ગણવામાં આવી રહ્યું છે. ખેડૂત સમાજ દ્વારા હેકટર દીઠ રૂપિયા 60 હજારનું નુકશાન વળતરની માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.