ગુજરાત

gujarat

રાજકોટઃ કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકો સર્વે કરાશે

By

Published : Dec 9, 2020, 4:45 PM IST

રાજકોટમાં કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકોનો કાલથી સરવે કરાશે
રાજકોટમાં કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકોનો કાલથી સરવે કરાશે

દેશમાં કોરોના વાઈરસની વેક્સિન આવવાની તૈયારી થઈ રહી છે, જેની સામે રાજકોટ મહાનગરપાલિકા પણ પ્રથમ તબક્કે વેક્સિનને દરેક જરૂરિયાતમંદ માણસ સુધી પહોંચાડવા અંગેના પગલા લઈ રહી છે. જેના ભાગરૂપે આજે મનપા ખાતે અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ મનપાની બેઠક, શહેરમાં આવતી કાલથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

  • 50 વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરવામાં આવશે
  • રાજકોટ મહાનગરપાલિકા આવતીકાલથી સર્વે શરૂ કરશે
  • સર્વેની એક એપ્લિકેશન બનાવાશે, કામગીરી અપલોડ કરાશે

રાજકોટઃ આવતીકાલ ગુરુવારથી મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. તેમજ અગાઉ મીટિંગમાં થયેલી ચર્ચા વિચારણા અનુસંધાને 50 વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરવામાં આવશે અને ડેટા બેન્ક બનવવામાં આવશે. જ્યારે 18થી 50 વર્ષની વયના કો-મોર્બિડ કન્ડિશનવાળા લોકોને કે જેમને ડાયાબિટીસ, બીપી, કેન્સર, એઈડ્સ, કિડની સંબંધી રોગ, હાર્ટ ડિસીઝ, એચઆઈવી, મેન્ટલી રિટાર્ડેડ (મનોદિવ્યાંગ) વગેરે જેવા ક્રોનિક ડિસીઝ-અસાધ્ય રોગ હોય તેવી પરિસ્થિતિવાળા વ્યક્તિઓની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે. ઈલેક્શન બૂથ વાઈઝ યાદી તૈયાર કરી એક ડેટા બેન્ક તૈયાર કરવામાં આવશે.

રાજકોટમાં કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકોનો કાલથી સરવે કરાશે
ડેટા તૈયાર કરી Co-Win સોફ્ટવેરમાં અપલોડ કરાશેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા થનારા આ સર્વે દરમિયાન સંબંધિત નાગરિકોએ આધારકાર્ડ સિવાય (રિપિટ-આધાર કાર્ડ સિવાય)ના ફોટો ઓળખપત્ર જેવા કે, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, બેન્કની ફોટાવાળી પાસબુક, સેન્ટ્રલ, સ્ટેટ, સેક્ટર યુનિટના સર્વિસ આઈડી કાર્ડ ફોટા સાથે, હેલ્થ ઈન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ફોટા સાથેનું પેન્શન ડોક્યુમેન્ટ સહિતના સરકારે માન્ય કરેલ ફોટો ઓળખપત્ર પૈકી કોઈ પણ એક ઓળખપત્ર બતાવવાનું રહેશે. રાજકોટ મહાનગરપાલિકા અને પ્રાઈવેટ હેલ્થ કેર વર્કરોના ડેટા તૈયાર કરી Co-Win નામના સરકારના સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેની એક એપ્લિકેશન બનવવામાં આવશે, જેમાં સરવેની કામગીરી અપલોડ કરવામાં આવશે.
રાજકોટમાં કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકોનો કાલથી સરવે કરાશે


વિવિધ અધિકારીઓ વચ્ચે અગાઉ યોજાઈ હતી બેઠક

મનપામાં વેક્સિનને લઈને ગઈકાલે 8 ડિસેમ્બરે મહા નગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના WHOના કન્સલ્ટન્ટ પ્રતિનિધિ, સિવિલ હોસ્પિટલના સર્જન, પી.ડી.યુ. મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ, પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટના એસોસી. પ્રોફેસર, નાયબ મ્યુનિસિપલ કમિશનરો, મેડિકલ ઓફિસર, નાયબ મેડીકલ ઓફિસર, આર.સી.એચ.ઓ., આઈ.એમ.એલ. અને આઈ.પી. ના પ્રતિનિધિ, પોલીસના પ્રતિનિધિ, એન.સી.સી.ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details