ગુજરાત

gujarat

રાજકોટના નશામુક્તિ કેન્દ્રમાં છેલ્લા 6 મહિનામાં 420 વ્યસનીઓએ લીધી સારવાર

By

Published : Nov 13, 2021, 9:34 PM IST

રાજકોટ (rajkot)માં વિસનગર ખાતે આવેલા વ્યસન મુક્તિ કેન્દ્ર (addiction rehabilitation center)માં છેલ્લા 6 મહિનામાં અલગ-અલગ નશો કરતા કુલ 420 જેટલા લોકોએ સારવાર લીધી છે, જેમાં મોટાભાગના આલ્કોહોલના બંધાણીઓ (alcohol addicts)નો સમાવેશ થાય છે. આલ્કોહોલના 101 જેટલા બંધાણીએ સારવાર લીધી છે. જો કે આ આંકડા માત્ર છેલ્લા 6 મહિનાના છે.

રાજકોટના નશામુક્તિ કેન્દ્રમાં છેલ્લા 6 મહિનામાં 420 વ્યસનીઓએ લીધી સારવાર
રાજકોટના નશામુક્તિ કેન્દ્રમાં છેલ્લા 6 મહિનામાં 420 વ્યસનીઓએ લીધી સારવાર

  • સારવાર લેનારા મોટાભાગના આલ્કોહોલના બંધાણીઓ
  • સપ્ટેમ્બરમાં સૌથી વધુ 29 બંધાણીઓએ સારવાર લીધી
  • છેલ્લા 6 મહિનામાં પ્રાથમિક સારવાર લેનારાઓની સંખ્યા વધુ હતી

રાજકોટઃ રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ (drugs in gujarat) પકડાવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ દ્વારકા જિલ્લામાંથી પણ લાખો રૂપિયાનું ડ્રગ્સ (drugs in dwarka) ઝડપાયું છે. જેની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ETV ભારત દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલા નશામુક્તિ કેન્દ્ર (addiction rehabilitation center)માં કેટલા લોકોએ સારવાર લીધી છે એ અંગેની માહિતી મેળવવામાં આવી હતી, જેમાં ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

6 મહિનામાં નશો કરતા કુલ 420 લોકોએ સારવાર લીધી

મળતી માહિતી પ્રમાણે રાજકોટ (rajkot)ના સરકારી નશામુક્તિ કેન્દ્રમાં છેલ્લા 6 મહિનામાં અલગ-અલગ નશો કરતા કુલ 420 જેટલા લોકોએ સારવાર લીધી છે, જેમાં મોટાભાગના આલ્કોહોલના બંધાણીઓ (alcohol addicts)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ વિવિધ પ્રકારનો નશો કરતા લોકોએ પણ રાજકોટ જિલ્લાના વિસનગર ખાતે આવેલા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લીધી હતી.

112 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા

રાજકોટ જિલ્લાનું સરકારી વ્યસન મુક્તિ કેન્દ્ર વિસનગર ખાતે આવેલું છે. અહીં છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો એપ્રિલ 2021માં 6 દર્દીઓએ સારવાર લીધી હતી. જ્યારે મેમાં 05, જૂનમાં 17, જુલાઈમાં 20, ઓગષ્ટમાં 18, સપ્ટેમ્બરમાં સૌથી વધુ 29 અને ઑક્ટોબરમાં 17 બંધાણીઓ આમ કુલ 112 દર્દીઓએ દાખલ થઈને સારવાર લીધી હતી. આ નશામાં સૌથી અંગ્રેજી દારૂના વ્યસનીઓ 101 જેટલા હતા. જો કે આ આંકડા માત્ર છેલ્લા 6 મહિનાના જ છે.

308 દર્દીઓએ પ્રાથમિક સારવાર લીધી

વિસનગર કેન્દ્ર ખાતે આવેલા નશામુક્તિ કેન્દ્રના અધિકારી મંગડુભાઈએ Etv bharatને જણાવ્યું હતું કે, કેન્દ્રમાં છેલ્લા 6 મહિનામાં પ્રાથમિક સારવાર લેનારાઓની સંખ્યા વધુ હતી, જેમાં એપ્રિલ 2021થી ઑક્ટોબર 2021 સુધીમાં 308 દર્દીઓ આલ્કોહોલના જોવા મળ્યા હતા. તમામ દર્દીઓને વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને નશામુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં એક માત્ર સરકારી નશામુક્તિ કેન્દ્ર વિસનગર ખાતે આવેલું છે, જ્યાં નશો કરતા લોકોને સારવાર આપવામાં આવતી હોય છે.

તમામ પ્રકારના નશાની કરવામાં આવે છે સારવાર

વિસનગર નશામુક્તિ કેન્દ્ર ખાતે આલ્કોહોલ, ગાંજા-ચરસ, ઇન્જેક્શન ટેબ્લેટ, બ્રાઉન સુગર, ટોબેકો બીડી સહિતના તમામ પ્રકારના નશાના વ્યસનીઓને સારવાર આપવામાં આવે છે. જ્યારે આવા લોકો કેન્દ્ર ખાતે આવે છે ત્યારે પ્રથમ તેમનામાં નશાનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે તેનો રિપોર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ જો જરૂર જણાય તો તેમને અહીં દાખલ કરવામાં આવે છે અને સારવાર આપવામાં આવે છે. જો નશાનું પ્રમાણ ઓછું હોય તો તેને જરૂરી દવાઓ આપીને ઘરે મોકલવામાં આવે છે.

આ પણ વાંચો:રાજકોટ: ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરમાં ચોરી, જાણભેદુનો હાથ હોવાની પોલીસને શંકા

આ પણ વાંચો: જૂનાગઢ શહેરના માર્ગો પર નોન-વેજ અને ઈંડા લારીઓ દૂર કરવા મનપાનો આદેશ

ABOUT THE AUTHOR

...view details