ગુજરાત

gujarat

Makar Sankranti 2022 : જાણો, મકરસંક્રાંતિના દિવસે ગાયની પૂજા અને તેના દાનનું ધાર્મિક મહત્વ

By

Published : Jan 13, 2022, 7:54 PM IST

હિંદુ ધર્મ અનુસાર મકરસંક્રાંતિના (Makar Sankranti 2022) દિવસે ગાયનું દાન અને તેની પૂજાનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે, જેને કારણે મકરસંક્રાંતિના પાવન પર્વે ગાયનુ પૂજન અને તેની પ્રદક્ષિણા કરવાનું મહત્વ આદિ-અનાદિ કાળથી ચાલતુ આવ્યું છે.

જૂનાગઢ: મકરસંક્રાંતિના (Makar Sankranti 2022) પાવન દિવસે હિંદુ ધર્મ સંસ્કૃતિ મુજબગાયનું દાન અને તેની પૂજાનું વિશેષ મહત્વઆલેખવામાં આવ્યું છે. આદિ-અનાદિ કાળથી મકરસંક્રાંતિના દિવસે દૂધ આપતી ગાયને દાન કરવાની વિશેષ પરંપરા હતી. સાથે સાથે ગાયના શિંગડા સોના અને ચાંદી સાથે મઢેલા અને ગાયના જીવનનિર્વાહ માટે એક વર્ષનું ખાણ-દાણ આપીને વાછરડા સાથે મકરસંક્રાંતિના દિવસે ગાયને દાનનુ વિશેષ મહત્વ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાણો, મકરસંક્રાંતિના દિવસે ગાયની પૂજા અને તેના દાનનું ધાર્મિક મહત્વ

ધાર્મિક પુણ્યનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ ગાયનું દાન કરતા હતા

વર્ષો પહેલા મકરસંક્રાંતિના દિવસે ગાયના દાન સાથે ધાર્મિક પુણ્યનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ ગાયનું દાન કરતા હતા. પરંતુ સમય બદલાયો અને ગાયનું દાન કરવું આર્થિક રીતે પરવડતું ન હોવાને કારણે હવે ધીમે ધીમે મકરસંક્રાંતિના દિવસે ગાયની પૂજા થઈ રહી છે.

વર્તમાન સમયમાં સંક્રાંતિના દિવસે ગાયની સેવા પૂજા કરીને કરાઈ છે ઉજવણી

વર્તમાન સમયમાં મકરસંક્રાંતિના પાવન પર્વે હિંદુ ધર્મ વિધિ અને મંત્રોચ્ચાર સાથે પંડિતોની હાજરીની વચ્ચે ગાયનુ પૂજન કરવામાં આવે છે આ સમયે ગાયને નવા વસ્ત્રો અને અલંકાર પણ અર્પણ કરવામાં આવે છે, સાથે સાથે તેને તલ, ગોળ અને ઘાસચારો આપીને મકરસંક્રાંતિના પાવન પર્વે ગાયનુ પૂજન કર્યા બાદ તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવી છે.

ગાયમાં તેત્રીસ કોટિ દેવી-દેવતાઓનો વાસ જોવા મળે છે

ધાર્મિક પરંપરા મુજબ ગાયમાં તેત્રીસ કોટિ દેવી-દેવતાઓનો વાસ જોવા મળે છે, જેને કારણે પણ ગાયના પુજનથી અને તેની પ્રદક્ષિણા કરવા માત્રથી 36 કોટી દેવી દેવતાઓનું પૂજન અને તેની પ્રદક્ષિણાનું પુણ્ય પુજા કરનાર પ્રત્યેક વ્યક્તિને મળતુ હોય છે, જેને કારણે મકરસંક્રાંતિના પાવન પર્વે ગાયનુ પૂજન અને તેની પ્રદક્ષિણા કરવાનું મહત્વ આદિ-અનાદિ કાળથી ચાલતુ આવે છે.

આ પણ વાંચો:

ગૌમાતાથી આપણને ઘણા ફાયદા છે તેમ જ ઉપયોગી છે, રાષ્ટ્રીય પશુ જાહેર થવી જોઈએ : દિલીપદાસજી

ગીર ગાયના અભ્યાસ માટે બ્રાઝિલના બે પશુ વૈજ્ઞાનિકો ગુજરાત આવ્યા

ABOUT THE AUTHOR

...view details