ગુજરાત

gujarat

Jamnagar Students In Ukraine: યુક્રેનમાં જામનગરના 4 વિધાર્થીઓ ફસાયા, જિલ્લા વહીવટીતંત્રએ કરી વાતચીત

By

Published : Feb 25, 2022, 4:12 PM IST

જામનગરના 4 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા (Jamnagar Students In Ukraine) છે. ચારેય વિદ્યાર્થીઓ મેગાસિટીની બહાર હોવાના કારણે સુરક્ષિત છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો કોન્ટેક કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી.

Jamnagar Students In Ukraine: યુક્રેનમાં જામનગરના 4 વિધાર્થીઓ ફસાયા, જિલ્લા વહીવટીતંત્રએ કરી વાતચીત
Jamnagar Students In Ukraine: યુક્રેનમાં જામનગરના 4 વિધાર્થીઓ ફસાયા, જિલ્લા વહીવટીતંત્રએ કરી વાતચીત

જામનગર: યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ (Russia Ukraine War 2022)ની ભયંકર સ્થિતિ છે ત્યારે જામનગરના મેડિકલ ક્ષેત્ર (medical study in ukraine)માં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ યુક્રેનમાંફસાયા (Jamnagar Students In Ukraine) છે. આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો કોન્ટેક કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્થળે હોવાની માહિતી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્થળે હોવાની માહિતી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો:Patan Students In Ukraine : યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

મેગાસિટીની બહાર હોવાના કારણે વિદ્યાર્થીઓ સુરક્ષિત

યુક્રેન અને રશિયા (Ukraine Russia Crisis) વચ્ચે દિવસે દિવસે પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અભ્યાસ અર્થેયુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ (gujarati students in ukraine)નું જીવન પણ જોખમમાં છે. જામનગરના 4 વિદ્યાર્થીઓ મેગાસિટી બહાર હોવાના કારણે સુરક્ષિત છે તેવું જિલ્લા કલેક્ટર (jamnagar district collector) દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Gujarati Students In Ukraine: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિધાર્થીઓ સાથે મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કરી વાતચીત

વાલીઓએ કલેક્ટર પાસે મદદ માંગી

ચિંતિત વાલીઓએ કલેક્ટરને જાણ કરીને મદદ માંગી.

યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા જામનગરના 4 વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાં કવન સરડવા અને હંમેશ નિમ્બાર્ક આ બંને વિદ્યાર્થીઓ MBBSમાં અભ્યાસ કરે છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ (indian students stuck in ukraine)ને લઇને ચિંતિત વાલીઓએ કલેક્ટરને જાણ કરીને મદદ માંગી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ 4 વિધાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી છે. તમામ ચારેય વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્થળે છે અને તેઓના જીવને કોઈ જોખમ નથી તેવું જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details