- 31,575થી વધુ જેટલા સહાયના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા
- અમદાવાદમાં 1792 લોકોને કોરોનાની સહાય ચૂકવાઈ
- 12,269 ફોર્મ ભરીને પરત આવ્યા
ગાંધીનાગર : કોરોના મૃત્યુ પામનાર લોકોને (death due to corona in gujarat) સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર 10,095 લોકોનું મૃત્યુ કોરોનાના (Death from corona) કારણે થયું છે, જેમાં અંદાજિત 60 ટકાથી વધુ લોકોને સહાય ચૂકવાઇ છે અને તેમના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 33 જિલ્લામાંથી કોરોનામાં (corona patient in gujarat) મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકારના (coronavirus in gujarat) આરોગ્ય વિભાગને પ્રોસેસ પ્રમાણે અરજી કરી હતી જેમાં સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે.
12,269 ફોર્મ ભરીને પરત આવ્યા
અત્યાર સુધી કુલ 31,575 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે, જેમાં 12,269 ફોર્મ ભરીને પરત આવ્યા છે, જેમાં અત્યાર સુધી 6,779 કેસોની સંખ્યા મંજુર કરવામાં આવી છે, જેમાંથી 6,319 લોકોને કોરોના સહાય ચૂકવવામાં આવી છે. શનિવાર 4 ડિસેમ્બર સુધીમાં આટલી સંખ્યામાં સહાય ચુકવવામાં આવી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી સિવાયના ચૂકવેલ કેસોની સંખ્યા 4 છે, ત્યારે 6,319ને આ સહાય ચુકવવામાં આવી છે.