ગાંધીનગર રાજ્યમાં ચોમાસાની સિઝન (Monsoon season 2022) જામી છે, ત્યારે મુખ્યપ્રધાન નિવાસ સ્થાન ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા (Reservoirs in Gujarat) માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની 10મી ઓગસ્ટ 2022 સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યું હતું.
69 ટકા જેટલું પાણી જળાશયોમાંરાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-207 જળાશયોની કુલ જળ (CM Review Meeting) સંગ્રહ ક્ષમતા 25,266 MCM છે. તેની સામે અત્યાર સુધીમાં 17,395 MCM પાણી જળાશયોમાં આવ્યું છે, એટલે કે 69 ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે. તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા 13 વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની 10મી ઓગસ્ટ કરતાં 21 ટકા વધારે છે.
નાના ચેકડેમનું આયોજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમિયાન એવા દિશા નિર્દેશ આપ્યા હતા કે, જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે, ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળ સંચય કરી શકાય. આ ઉપરાંત CM ભુપેન્દ્ર પટેલે એવી પણ સૂચના આપી હતી કે, હાલ જ્યાં વરસાદ (Monsoon season in Gujarat) પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સર્વે હાથ ધરાવા જરૂરી છે.