અમદાવાદ: ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાવાયરસનો રાફડો (Corona Third wave in Gujarat) ફાટી રહ્યો છે, તેવામાં જાન્યુઆરી માસના પ્રથમ 15 જ દિવસમાં કોરોનાના 95 હજાર જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે, આ સાથે જ રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંક 9 લાખને પાર થઈ ગયો છે. ગુજરાતમાં હાલ 9 લાખથી વધુ લોકો સંક્રમિત કેસમાંથી 10,159 લોકોના મૃત્યુ (Death by corona in Gujarat) થયા છે, જ્યારે 8,52,471 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં કુલ 63,610 કેસો એક્ટિવ છે.
5 લાખ કેસ થવામાં માત્ર 10 દિવસનો સમય
ગુજરાત રાજ્યમાં કોરોનાનો સૌપ્રથમ કેસ (First corona case in Gujarat) વર્ષ 2020માં 19 માર્ચે નોંધાયો હતો. જેમાં કોરોનાના પ્રથમ 1 લાખ કેસો માત્ર 10 મહિના બાદ એટલે કે 3 સપ્ટેમ્બર 2020માં પુરા થયા હતા. 2 લાખ કેસ પુરા થવામાં માત્ર 82 દિવસ થયા હતા. જ્યારે 3 લાખ કેસોમાં 137 દિવસ થયા હતા. 4 લાખ કેસોમાં 21 દિવસનો સમય લાગ્યો હતો. 5 લાખ કેસ થવામાં માત્ર 10 દિવસનો સમય, જ્યારે 6 લાખ કેસ થવામાં 6 દિવસનો, 7 લાખ કેસ થવામાં 8 દિવસ, જ્યારે 8 લાખ કેસ થવામાં 16 દિવસનો સમય થયો હતો, 27 મે 2021ના કોરોનાના 8 લાખ કેસો પુરા થયા હતા. આમ 8થી 9 લાખ કેસ પુરા થવામાં 238 દિવસ થયા હતા. આ સ્થિતિએ 8 લાખથી 9 લાખ કેસની ગતિ ધીમી રહી હતી.
1200 બેડ હોસ્પિટલમાં કુલ 300 બેડ રિઝર્વ
અમદાવાદ શહેરમાં આવેલ સરકારી SVP હોસ્પિટલ અને LG હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં પણ પથારીઓ ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે. આઇસોલેશન બેડ 1314, ઓક્સિજન બેડ - 2746, ICU વીથઆઉટ વેન્ટિલેટર - 448, ICU વીથ વેન્ટિલેટર - 706 રહેલા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના કુલ 170થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ખાનગી હોસ્પીટલમાં કુલ 2150 બેડમાંથી 95થી 98 ટકા એટલે કે 1980થી વધુ બેડ ખાલી છે. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ 1200 બેડ હોસ્પિટલમાં કુલ 300 બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે. જેમાં 160 ICU બેડ અને અન્ય ઓક્સિજન બેડ રહેલા છે. હાલ 1200 બેડ હોસ્પિટલમાં 62 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 15 દર્દીઓ બાયપેપ, વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ અન્ય દર્દીઓ ઓક્સિજન પર સ્વસ્થ છે. SVP હોસ્પિટલમાં પણ 70થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, આમ અમદાવાદમાં કુલ 24,134થી વધુ કેસો સામે માત્ર 230થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર છે.
ઉત્તરાયણના છેલ્લા બે દિવસમાં દર્દીઓમાં વધારો
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના છેલ્લા બે દિવસો દરમિયાન શહેરની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર અને એચડીયુમાં સારવાર લેતા દર્દીઓમાં વધારો થયો છે બે દિવસમાં વેન્ટિલેટર પર સારવાર લેતાં 3 દર્દી અને આઈસીયુમાં 3 અને એચડીયુમાં 17 દર્દીઓનો વધારો થયો છે, જ્યારે આઇસોલેશનમાં 87 દર્દી સારવાર હેઠળ છે. આ સાથે જ મ્યુનિસિપલ સંચાલિત SVP હોસ્પિટલમાં 70થી વધુ દર્દીઓ રહેલા છે. જેમાં 14 ઓક્સિજન પર, 5 બાયપેપ પર, 3 વેન્ટિલેટર પર જ્યારે બાકીના દર્દીઓ આઇસોલેશન બેડ પર છે. મોટાભાગના દર્દીઓની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
જૂનાગઢમાં કોરોનાની શું છે પરિસ્થિતિ?
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોરોના વોર્ડમાં 950 જેટલા બેડ હાલ ખાલી અવસ્થામાં છે. ગત 10મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી સુધીમાં કુલ 350 સંક્રમિત કેસો સામે આવ્યા હતા. જે પૈકીના 282ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાછલા 10 દિવસ દરમિયાન આવેલા 68 જેટલા સંક્રમિત દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.
કચ્છમાં કોરોનાની શું છે પરિસ્થિતિ?
કચ્છમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં હાલ એક્ટિવ કેસો - 695, બેડની સુવિધા - 3984 જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માત્ર 19 રહેલા છે.
સુરતમાં શું છે પરિસ્થિતિ?