- કોલેજોના ખાનગીકરણ મુદ્દે ભારે વિવાદ
- શિક્ષણનું ખાનગીકરણ વિદ્યાર્થીઓ માટે જોખમ
- સરકારી ગ્રાન્ટ માટે કોલેજ સંચાલકો વિરોધ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે
અમદાવાદ: રાજ્યમાં કોલેજોના ખાનગીકરણ (Privatization) નો મુદ્દો ગરમાયો છે. આ મામલે ગુજરાત રાજ્ય સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન (Self Finance Association) ના મહામંત્રી જીતુભાઈનું કહેવું છે કે, જો કોલેજોનું ખાનગી યુનિવર્સિટીમાં ખાનગીકરણ કરવામાં આવશે તો શિક્ષણ મોંઘુ થશે તેમજ ખર્ચા વધુ થશે. જે અનામત વર્ગ માટે પણ નુકસાન થઈ શકે છે. કારણ કે ખાનગીકરણથી પ્રોફેસરોના પગાર ધોરણ વધુ ચૂકવવા પડશે, કોલેજોનો સ્ટેશનરી ખર્ચ વધશે. આ ઉપરાંત શિક્ષણનું ખાનગીકરણ થવાથી ભાવિ વિદ્યાર્થીઓ માટે જોખમ છે. બીજી તરફ સંચાલકો પોતાના ફાયદા માટે વિરોધ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે કોલેજોને જે સરકારી ગ્રાન્ટ મળતી હતી તે કોલેજોના ખાનગીકરણથી બંધ થઈ જશે. એટલે સંચાલકોને નુકસાન થાય તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ NSUI ની Merit Based Progression ની માગ સ્વીકારી
કોલેજોનું ખાનગીકરણએ શિક્ષણનું વ્યાપારીકરણ થવાની વાત છે: ભાવિન સોલંકી