ગુજરાત

gujarat

Gas Leakage in Ahmedabad: અમદાવાદમાં ઈન્ડિયા કોલોનીમાં ગેસ લિકેજના કારણે 3 વર્ષના બાળકનું મોત

By

Published : Jan 25, 2022, 10:35 AM IST

Updated : Jan 25, 2022, 11:50 AM IST

Gas Leakage in Ahmedabad: અમદાવાદમાં ઈન્ડિયા કોલોનીમાં ગેસ લિકેજના કારણે 3 વર્ષના બાળકનું મોત

અમદાવાદમાં (Gas Leakage in Ahmedabad) ઈન્ડિયા કોલોની ખાતે સોનિયા સિરામિકની ચાલીના એક મકાનમાં (Fire due to gas leakage in India Colony) ગેસ લીકેજની ઘટના બની હતી. આના કારણે ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત થયું છે. એટલું જ નહીં ત્યારબાદ ઘરમાં આગ પણ લાગી હતી. તેના કારણે ઘરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો.

અમદાવાદઃ શહેરના (Gas Leakage in Ahmedabad) ઈન્ડિયા કોલોની વોર્ડ ખાતે સોનિયા સિરામિકની ચાલીના (Fire due to gas leakage in India Colony) એક મકાનમાં આકસ્મિક ગેસ લીકેજની ઘટના બની હતી, જેમાં ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત થયું છે. આ ઉપરાંત ગેસ લીકેજ થતાં આગ (Gas Leakage in Ahmedabad) લાગી હોવાથી તેમાં મકાનની તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનામાં શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી તે જાણવા માટે FSLની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી.

પરિવારના મોભી સવારે દૂધ લેવા ગયા હતા

આ પણ વાંચો-Fire In Gujarat 2022 : બસમાં આગ લાગવાના આટલા બધા બનાવ કેમ બને છે? તાજેતરમાં આગ લાગવાની 4 ઘટનાઓ જાણો

પરિવારના મોભી સવારે દૂધ લેવા ગયા હતા

આ અંગે મળતી માહિતી મુજબ, પરિવારના મોભી સવારે દૂધ લેવા ગયા હતા. તે સમયે ઘરમાં આગ લાગી હતી. તેમણે ઘરે આવીને જોયું તો જયવીરસિંહ મકવાણા નામનો બાળક ગંભીર રીતે આગની (Gas Leakage in Ahmedabad) ઝપેટમાં આવી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં તો સ્થાનિક લોકોએ આગ (Gas Leakage in Ahmedabad) બૂઝાવી દીધી હતી. જોકે, અન્ય મકાનોમાં પ્રસરતી આગને (Gas Leakage in Ahmedabad) રોકવા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો-સુરતમાં વધુ એક બસમાં આગ લાગતા મચી દોડધામ, ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં જ મેળવ્યો આગ ઉપર કાબુ

માતાપિતાનો બચાવ પણ બાળકે જીવ ગુમાવ્યો

અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, આગ લાગવાનું કારણ તો હજી સુધી સુધી જાણવા મળ્યું નથી. કન્ટ્રોલ રૂમમાં મેસેજ હતો કે, ગેસનો બાટલો (Gas Leakage in Ahmedabad) ફાટવાથી આગ લાગી હતી, પરંતુ ત્યાં જઈ અને 2 બાટલા સહી સલામત હતા. આ સમગ્ર ઘટનામાં જયવીર સુરેશ મકવાણા નામના બાળકનું દાઝી (Gas Leakage in Ahmedabad) જવાથી મોત થયું છે. ત્યારે તેના માતા જયાબેન અને પિતા સુરેશભાઈનો બચાવ થયો હતો.

Last Updated :Jan 25, 2022, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details