મુંબઈઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યું છે. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, સાયરસ મિસ્ત્રીનું આવી રીતે અચાનક રીતે જવું શોક સમાન છે. આ સાથે ઉદ્યોગજગતને મોટી ખોટ પડશે. ટાટા ગ્રૂપના સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર (Former chairman of Tata Sons Cyrus Mistry) અકસ્માતમાં મૃત્યું (Cyrus Mistry Car Accident) થયું છે. મુંબઈના પાલઘર પાસે એમની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry dies in a road accident) ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી 2019માં ટાટા ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન હતા. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે (Mumbai Ahmedabad National Highway) જ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી 2019માં ટાટા ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન હતા. મિસ્ત્રી, જેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતા, તેઓને ઓક્ટોબર 2016માં પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
કાર અકસ્માતમાં મૃત્યુંઃ રતન ટાટાએ તેમની નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ડિસેમ્બર 2012માં તેમણે ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ચંદ્રશેખરન બાદમાં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. રવિવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે. તેઓ મર્સિડીઝ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પાલઘરના પોલીસ અધિક્ષકે આ અંગે માહિતી આપી છે કે ડિવાઈડ પર કાર અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે.