ગુજરાત

gujarat

Bangladesh Ship Missile Attack: બાંગ્લાદેશી જહાજ પર મિસાઈલ હુમલામાં નાવિક માર્યો ગયો

By

Published : Mar 3, 2022, 10:48 AM IST

એક કમનસીબ અપડેટમાં, બાંગ્લાદેશ શિપિંગ કોર્પોરેશનના જહાજ બાંગ્લાર સમૃદ્ધિ પર યુક્રેનમાં મિસાઈલ હુમલો (Bangladesh Ship Missile Attack) થતાં એક બાંગ્લાદેશી નાવિકનું મૃત્યુ થયું હતું.

Bangladesh Ship Missile Attack: બાંગ્લાદેશી જહાજ પર મિસાઈલ હુમલામાં નાવિક માર્યો ગયો
Bangladesh Ship Missile Attack: બાંગ્લાદેશી જહાજ પર મિસાઈલ હુમલામાં નાવિક માર્યો ગયો

ન્યુઝ ડેસ્ક: એક કમનસીબ અપડેટમાં, બાંગ્લાદેશ શિપિંગ કોર્પોરેશનના જહાજ બાંગ્લાર સમૃદ્ધિ પર યુક્રેનમાં મિસાઈલ હુમલો (Bangladesh Ship Missile Attack) થતાં એક બાંગ્લાદેશી નાવિકનું મૃત્યુ થયું હતું. જાણવા મળ્યું છે કે, રશિયા-યુક્રેન સંઘર્ષ (Russia Ukraine Crisis) વચ્ચે બાંગ્લાદેશી જહાજ ઓલ્વિયા બંદર પર ફસાયું હતું. રશિયન નૌકાદળોએ બાંગ્લાર સમૃદ્ધિ જહાજ પર મિસાઇલ હુમલો (Russian Navy attack) કર્યો.

Bangladesh Ship Missile Attack: બાંગ્લાદેશી જહાજ પર મિસાઈલ હુમલામાં નાવિક માર્યો ગયો

રાત્રે બાંગ્લાદેશ સરકારને માહિતી મળી

મીડિયા સાથે વાત કરતા, ખાલિદ મહમૂદ ચૌધરીએ, MoS શિપિંગ, બાંગ્લાદેશ, પુષ્ટિ કરી કે ગઈકાલે રાત્રે બાંગ્લાદેશ સરકારને માહિતી મળી કે, યુક્રેન સરકાર દ્વારા એક જહાજને અટકાયતમાં લેવામાં આવ્યું છે. અટકાયતના સમાચાર પછી, તેઓએ જાણ્યું કે, રોકાયેલા જહાજ પર મિસાઇલ હુમલો થયો છે. હુમલામાં માર્યા ગયેલા બાંગ્લાદેશી નાવિકની ઓળખ બાંગ્લાદેશ શિપિંગ કોર્પોરેશનની માલિકીના જહાજના 3જા એન્જિનિયર હદીસુર રહેમાન તરીકે થઈ છે.

આ પણ વાંચો :Voting Against Russia at UNGA: UNGAએ રશિયા વિરુદ્ધ 141 મતો અને રશિયાના પક્ષમાં 5 મતોથી ઠરાવ પસાર

ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, બાંગ્લાદેશ સરકાર યુક્રેન સરકાર અને દૂતાવાસ સંપર્કમાં છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, અન્ય શિપ ક્રૂ સભ્યોને કહેવામાં આવે છે કે, સરકાર તેમની સાથે છે અને તેમને પાછા લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:Operation Ganga: રોજે-રોજ મળી રહ્યા ખુશીના સમાચાર, C-17 એરક્રાફ્ટ 208 ભારતીયોને લઈને પરત ફર્યું

ABOUT THE AUTHOR

...view details