ETV Bharat / bharat

Operation Ganga: રોજે-રોજ મળી રહ્યા ખુશીના સમાચાર, C-17 એરક્રાફ્ટ 208 ભારતીયોને લઈને પરત ફર્યું

author img

By

Published : Mar 3, 2022, 9:44 AM IST

Operation Ganga: રોજે-રોજ મળી રહ્યા ખુશીના સમાચાર, C-17 એરક્રાફ્ટ 208 ભારતીયોને લઈને પરત ફર્યું
Operation Ganga: રોજે-રોજ મળી રહ્યા ખુશીના સમાચાર, C-17 એરક્રાફ્ટ 208 ભારતીયોને લઈને પરત ફર્યું

Operation Ganga: નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, રૂસ-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારથી શુક્રવાર સુધીમાં 24 ફ્લાઈટ્સમાં લગભગ 4,800 ભારતીય વિદ્યાર્થીઓને બુકારેસ્ટ અને સુકીવિયા થઈને રોમાનિયામાં ખસેડવામાં આવશે.

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ (Russia Ukraine War)નો આજે આઠમો દિવસ છે. દિવસેને દિવસે સ્થિતિ વધુ વણસી રહી છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આજે સવારે, પોલેન્ડના રઝેજોથી 208 ભારતીયોને લઈને એરફોર્સનું ત્રીજું C-17 એરક્રાફ્ટ (India Aircraft From Ukraine) દિલ્હી નજીકના હિંડોન એરબેઝ પર ઉતર્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટ ત્યાં હાજર હતા અને તેમણે ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી હતી.

6,000ને અત્યાર સુધીમાં વતન લાવ્યા

આપને જણાવી દઈએ કે, યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસોને વધુ તેજ બનાવવા માટે વડાપ્રધાન મોદી રવિવારથી સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. લગભગ 20,000 ભારતીયોમાંથી, 6,000ને અત્યાર સુધીમાં વતન લાવવામાં આવ્યા છે.

  • #WATCH यूक्रेन में फंसे भारतीय नागरिकों को लेकर एयर इंडिया एक्सप्रेस की विशेष उड़ान रोमानिया के बुखारेस्ट से मुंबई हवाई अड्डे पहुंची। MoS रेलवे रावसाहेब पाटिल दानवे ने यूक्रेन से भारत लौटे भारतीय नागरिकों के साथ बातचीत की। pic.twitter.com/0xDIy16ioy

    — ANI_HindiNews (@AHindinews) March 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યુક્રેનમાં ફસાયેલા 183 ભારતીયને લઈને વિશેષ વિમાન મુંબઈ પહોંચ્યું

હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા 183 મુસાફરોને લઈને એક વિશેષ વિમાન ગુરુવારે સવારે મુંબઈ પહોંચ્યું હતું. આ મુસાફરોમાં એક નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીયપ્રધાન રાવસાહેબ દાનવેએ એરપોર્ટ પર મુંબઈ પહોંચેલી ત્રીજી ઈવેક્યુએશન ફ્લાઈટમાં સવાર લોકોનું સ્વાગત કર્યું. 'એર ઈન્ડિયા એક્સપ્રેસ' (Air India Express)નું વિમાન બુડાપેસ્ટથી સવારે લગભગ 5.30 વાગ્યે અહીં પહોંચ્યું હતું. પ્લેનના મુસાફરો સાથે વાત કરતા દાનવેએ કહ્યું કે, મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમારું સ્વાગત કરવા માટે મોકલવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સહિત લગભગ 17,000 ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે અને વડા પ્રધાને તેમને પાછા લાવવા માટે 'ઓપરેશન ગંગા' (Operation Ganga) શરૂ કર્યું છે.

આ પણ વાંચો: Top News: ભારત પર 500 ટન વજનનું ISS છોડવાની ધમકી! અને આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે, વાંચો માત્ર એક ક્લિકમાં...

6 ફ્લાઈટ ગુરુવારે બુકારેસ્ટથી રવાના થશે

સિંધિયાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બુકારેસ્ટમાં લગભગ 3,000 અને સિરેટમાં 1,000 ભારતીય વિદ્યાર્થીઓ છે. તેમણે કહ્યું કે, સિરેટ ચેકપોસ્ટ પર લગભગ 1,000 વધુ વિદ્યાર્થીઓ આવવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી ત્રણ દિવસમાં તેમને ભારત પરત મોકલવાની આશા રાખે છે. સિંધિયાએ કહ્યું કે બુધવારે બુકારેસ્ટથી લગભગ 1,300 વિદ્યાર્થીઓને લઈને 6 ફ્લાઈટ રવાના થઈ હતી. 1,300 વિદ્યાર્થીઓને લઈને 6 ફ્લાઈટ ગુરુવારે બુકારેસ્ટથી રવાના થશે.

આ પણ વાંચો: ભારત પર 500 ટન વજનનું ISS છોડવાની ધમકી! યુદ્ધ વચ્ચે રશિયન ધમકીઓની અસરો શું?

છેલ્લો વિદ્યાર્થી સિરેટમાંથી નીકળે ત્યાં સુધી હું ત્યાં રહીશ

શુક્રવાર સુધીમાં 4,800 વિદ્યાર્થીઓને રોમાનિયાથી 24 ફ્લાઈટ દ્વારા લાવવામાં આવશેઃ સિંધિયાનગર એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારથી શુક્રવાર સુધીમાં રોમાનિયા 24 ફ્લાઈટ દ્વારા 4,800 ભારતીય વિદ્યાર્થીઓને બુકારેસ્ટ અને સુકીવિયા થઈને બહાર કાઢવામાં આવશે. જે પ્રધાન ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની વ્યવસ્થા કરવા માટે બુકારેસ્ટમાં છે, તેમણે કહ્યું કે, તેઓ ગુરુવારે યુક્રેન સાથેની સરહદી ચોકી સિરેટની મુલાકાત લેશે અને લગભગ 48 કલાક ત્યાં રહેશે. તેણે કહ્યું કે, જ્યાં સુધી છેલ્લો વિદ્યાર્થી સિરેટમાંથી નીકળે ત્યાં સુધી હું ત્યાં રહીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.