ગુજરાત

gujarat

Madhya Pradesh News: ખાખી પર લાંછન! પોલીસકર્મીઓએ વેપારી તથા એના પુત્રને ઢોર માર માર્યો

By

Published : Apr 18, 2023, 11:00 AM IST

મધ્યપ્રદેશના મંડલામાં એક વેપારી અને તેના પુત્ર વચ્ચે પાર્કિંગને લઈને પોલીસકર્મીઓ સાથે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે 2 પોલીસકર્મીઓએ વેપારી અને તેના પુત્રને જોરથી માર માર્યો, એટલું જ નહીં પોલીસકર્મીઓએ બંન્નેને રસ્તાની વચ્ચે પણ માર માર્યો. હાલમાં વેપારીના સમર્થનમાં આવેલા લોકો આ મામલે કાર્યવાહીની માગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એફઆઈઆર નોંધવાની માગ કરી હતી. જો કાર્યવાહી નહીં થાય તો મંગળવારે સમગ્ર શહેર બંધ રહેશે તેવું વેપારીઓએ જણાવ્યું છે.

Madhya Pradesh News : ખાકી યુનિફોર્મ પર ફરી ડાઘ! MPના મંડલામાં 2 પોલીસકર્મીઓએ વેપારી અને તેના પુત્રને માર માર્યો, જુઓ વીડિયો
Madhya Pradesh News : ખાકી યુનિફોર્મ પર ફરી ડાઘ! MPના મંડલામાં 2 પોલીસકર્મીઓએ વેપારી અને તેના પુત્રને માર માર્યો, જુઓ વીડિયો

મધ્યપ્રદેશ : મંડલામાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 2 પોલીસકર્મીઓ અનાજના વેપારી અને તેના પુત્રને માર મારતા જોવા મળે છે. પોલીસ દ્વારા રસ્તાની વચ્ચોવચ કરવામાં આવી રહેલી આ ગુંડાગીરી આટલેથી અટકી ન હતી, પરંતુ તેઓએ વેપારી અને તેના પુત્રને રોડની વચ્ચેથી ઉઠાવીને માર માર્યો હતો અને ગાળો પણ આપી હતી. આ પછી, સ્થળ પર હાજર લોકોએ કોઈક રીતે પીડિતોનો જીવ બચાવ્યો. બાદમાં, પીડિત વેપારી અને તેના પુત્રના સમર્થનમાં, સંબંધીઓ અને અન્ય વેપારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેઓએ ઝઘડો કરી રહેલા બે પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆરની માગ કરી. દરમિયાન, વેપારીઓએ ચેતવણી આપી હતી કે, "જો આરોપીઓ સામે કેસ નોંધવામાં નહીં આવે તો મંગળવારે સમગ્ર નૈનપુર બંધ રહેશે."

પાર્કિંગને લઈને વિવાદ : વાસ્તવમાં, અનાજના વેપારી અને તેના પુત્રને માર મારવાનો મામલો માંડલાના નૈનપુરનો છે, જ્યાં રવિવારે સાંજે વેપારી સુનિલ ખંડેલવાલ (55) તેમના પુત્ર પારસ (18) સાથે માલનવાડા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પિંદરાઈમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રાઉન્ડની સામે પોલીસ ચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ રણજીત ઉલાડી અને ઓમપ્રકાશ ઉઈકે સાથે તેની દલીલ થઈ હતી. પાર્કિંગને લઈને શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે પોલીસે પિતા-પુત્રને બેરહેમીથી માર માર્યો અને બંને પીડિતોને રસ્તા વચ્ચે ફેંકી દીધા. આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જણાવી દઈએ કે વીડિયોમાં એક પોલીસકર્મી સાદા ડ્રેસમાં અને બીજો યુનિફોર્મ પહેરેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :Ambergris Smuggling: તમિલનાડુમાં પોલીસે 2.30 કરોડની કિંમતની એમ્બરગ્રીસ જપ્ત કરી

કોંગ્રેસ જિલ્લા પ્રમુખે એએસપીને પગલાં લેવા કહ્યું : બાદમાં, ઘટનાની માહિતી મળતાં, વેપારીના સંબંધીઓ અને અન્ય વેપારી લોકો નૈનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને કાર્યવાહીની માગ કરી. રવિવારે મોડી રાત્રે કોઈ કાર્યવાહી ન થતાં લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે વેપારીઓએ પોલીસ પર મામલો દબાવવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ કરી રહેલા વેપારીઓનું કહેવું છે કે, હુમલો કરનારા પોલીસકર્મીઓ સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. બીજી તરફ સોમવારે સવાર સુધી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં બપોર બાદ ફરી 100થી વધુ વેપારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો આરોપીઓ સામે ગુન્હે નોંધવામાં નહીં આવે તો નૈનપુર શહેર મંગળવારે બંધ રહેશે. " મળતી માહિતી મુજબ, નૈનપુરનું એક પ્રતિનિધિમંડળ ઘટનાને લઈને પીડિતો વતી કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ રાકેશ તિવારી સાથે અધિક પોલીસ અધિક્ષક ગજેન્દ્ર સિંહને મળ્યું હતું. જે બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે એએસપીને કાર્યવાહી કરવા કહ્યું હતું કે "હુમલો કરનાર બંને પોલીસકર્મીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે."

આ પણ વાંચો :Bunty Chor Arrested: બિગ બોસ ફેમ 'સુપર ચોર બંટી' 10 વર્ષ જેલમાં રહ્યા પછી કેમ બન્યો 'ચિંદી ચોર' ?

તપાસ બાદ પગલાં લેવાશે :આ મામલે પોલીસ અધિક્ષક રજત સકલેચા કહે છે કે, "રવિવારે રાત્રે પિંડારાઈમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા, ત્યારે ખોટા પાર્કિંગને લઈને ચર્ચા થઈ હતી. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. "અમારી પાસે પણ છે. તે અંગે ફરિયાદ મળી છે. પીડિતોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, મામલાની તપાસ ચાલી રહી છે, જે તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે." મામલાની પ્રગતિ જોઈને કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ બંનેને લાઈનમાં જોડી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details