ગુજરાત

gujarat

Omicron Case in India : ભારતમાં કોરોનાના 1,79,723 નવા કેસ, ઓમિક્રોનના 4,033 કેસ નોંધાયા

By

Published : Jan 10, 2022, 10:39 AM IST

ભારતમાં ઓમિક્રોનના કેસો દિવસેને દિવસે(Omicron Case in India) વધવા લાગ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, કોરોના વાયરસના(Corona and New Variant Omicron) આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 4,033 થઈ ગઈ છે.

Omicron Case in India : કોરોના વાઈરસનું નવું સ્વરૂપ ઓમિક્રોનું દેશભરમાં હાહાકાર
Omicron Case in India : કોરોના વાઈરસનું નવું સ્વરૂપ ઓમિક્રોનું દેશભરમાં હાહાકાર

નવી દિલ્હી: ભારતમાં ઓમિક્રોનના કેસો(Omicron Case in India) વધવા લાગ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, કોરોના વાયરસના(Corona and New Variant Omicron) આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 4,033 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઓમિક્રોનના સૌથી વધુ 1,216 અને 529 કેસ છે.ઓમિક્રોનના 4,033 દર્દીઓમાંથી 1,552 દર્દીઓને રજા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના સંક્રમણ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણના 1,79,723 નવા કેસ(New Cases of Corona) નોંધાયા છે, જે છેલ્લા 225 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં ચેપના નવા કેસ સહિત, 3,57,07,727 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમણને કારણે 146 લોકોના મુત્યુ થયા છે. જે પછી મૃત્યુની કુલ સંખ્યા 4,83,936 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ઓમિક્રોન સામે આયુર્વેદમાં બાળકો અને મોટા લોકો માટે ઉપચાર શું ? જાણો તબીબોના મુખે...

કોરોના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં 46,569 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે દેશમાં હજુ પણ 7,23,619 એક્ટિવ(Active Cases of Corona in India) કેસ છે. અત્યાર સુધીમાં 3,45,00,172 દર્દીઓ આ સંક્રમણને હરાવી(Corona Update in India) ચૂક્યા છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં નાગરીકોનો પ્રતિસાદ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 13,52,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં કુલ 69,15,75,352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન(Vaccination Campaign India) હેઠળ, અત્યાર સુધીમાં 1,51,94,05,951 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં ઓમિક્રોનના ભયના પગલે લોકો આયુર્વેદીક ઓસડીયાની બજારો તરફ વળ્યા

ABOUT THE AUTHOR

...view details