વડોદરામાં મોબાઈલ એસેસરીઝની દુકાનો બંધ કરાવી અસામાજિક તત્વો દ્વારા તોડફોડ

By

Published : Jan 4, 2020, 3:22 PM IST

thumbnail

વડોદરા: શહેરમાં મરીમાતાના ખાંચામાં મોબાઈલ એસેસરીઝનું વિશાળ માર્કેટ આવેલું છે. જેમાં શુકવારના રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો માર્કેટમાં ધસી આવ્યા હતા. તેમજ દુકાનધારકોને આટલી મોડે સુધી દુકાનો કેમ ચાલુ રાખો છો, દુકાનો બંધ કરો તેમ જણાવી 5થી 6 દુકાનોમાં તોડફોડ કરાતાં દુકાનદારોમાં ભયનો માહોલ વર્તાયો હતો. ત્યારબાદ દુકાનોના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમજ સ્વૈછીક દુકાનો બંધ રાખી પોલીસને જાણ કરી હતી. હાલ, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે વેપારીઓની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.