વડોદરાઃ માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પેરામેડિકલ સ્ટાફને 400થી વધુ PPE કીટ આપવામાં આવી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8262729-750-8262729-1596301245330.jpg)
વડોદરાઃ શહેરના માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સેવા સંકલ્પ અભિયાનને આગળ ધમપાવતા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પેરામેડીકલ સ્ટાફને રક્ષણ મળે તે હેતુથી 1 લાખ રૂપિયાની કિંમતની 400થી વધુ PPE કીટ પેરામેડીકલ સ્ટાફ વતી ડૉક્ટર્સને અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં અનેક પ્રકારે અસરો વર્તાઈ હતી.