![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5014645-thumbnail-3x2-surendnger.jpg)
સુરેન્દ્રનગરઃ અયોધ્યા કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સર્વોપરી ગણીને શાંતિ જાળવવા હિન્દુ અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓએ શાંતિની અપીલ કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.