કાંકરિયા કાર્નિવલ 2019માં વર્ષના છેલ્લા દિવસે અમદાવાદીઓ ઝૂમી ઉઠ્યા
અમદાવાદ : શહેરના લોકઉત્સવ તરીકે લોકપ્રિય બનેલા કાંકરિયા કાર્નિવલનો 31 ડિસેમ્બરના રોજ છેલ્લો દિવસ હતો. આ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક નૃત્ય, લેઝર શો, વોટર અને એડવેન્ચર સ્પોર્ટ્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ લોકગાયક સાંઇરામ દવેની સાથે અમદાવાદીઓેએ પોતાના નવા વર્ષની શરૂઆત કરી હતી તો વર્ષના છેલ્લા દિવસે ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી. કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.