મોરબીમાં બનેલી દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યો ગુમાવનારની આપવિતી
મોરબી : પુલ અકસ્માતમાં (bridge collapse Accident Morbi)134 લોકોના મોત થયા છે. જેમાં મીરા પરિવારના 35 જેટલા સદસ્યો આ બ્રિજ નિહાળવા માટે ગયા હતા. જેમાંથી છ જેટલા વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આઠ જેટલા વ્યક્તિઓ હજુ પણ સારવાર હેઠળ હોવાનું (Morbi Civil Hospital)સામે આવ્યું છે. જેને લઇને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક વ્યકતિયોમાં નફિસબેન મહેબુબભાઈ મીરા, રૂક્શાનાબેન રસિદભાઈ ચૌહાણ, સાનિયાબેન રસિદભાઇ ચૌહાણ, રોશનબેન ઇલીયાશભાઈ પઠાણ, માહિયા ઇલીયાશભાઈ પઠાણ, દાનીશ ઇલીયાશભાઈ પઠાણનો સમાવેશ થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST