મોરબીની ઝૂલતા પુલ હોનારતમાં મુસ્લિમ પરિવારના ત્રણ વ્યક્તિઓના થયા મૃત્યું, આખુ ગામ શોકમાં ડૂબ્યું

By

Published : Nov 1, 2022, 7:22 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

જામનગરના મોરબીની ઝૂલતા પુલ હોનારતમાં જામનગરના ખરેડીના 3 લોકોના મૃત્યુ થયા છે. આ હોનારતથી આખું ગામ હિબકે ચડ્યું હતું. કાલાવડના ખરેડીના ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યાની ઘટના બની છે. મોરબીની દુર્ઘટનામાં જામનગર જિલ્લાના 10 લોકોના જીવ ગયા છે. કાલાવડના ખરેડી ગામના મુસ્લિમ પરિવારના બે બાળકો અને માતાનું મોત થયા છે. 1 કાલાવડના ખરેડીના નાસીમબેન બાપુશા બાનવા 2 નવાઝ બાપુશા બાનવા 3 તમન્ના બાપુશા બાનવા ઉમર વર્ષ ૮ મૃત્યુ નીપજ્યા છે. ખરેડી ગામે તેની અંતિમ યાત્રા નીકળી હતી. મોરબીની દુર્ઘટનાને પગલે ખરેડી ગામ હિબકે ચડ્યું હતું. નાના એવા ખરેડી ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની સ્મશાન યાત્રા નીકળતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. Three persons in one Muslim family died Morbi Hanging Bridge Accident Morbi Cable Bridge

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.