ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ગુજરાતના નાગરિકો માટે ટ્રાફિક રુલ્સને લઇ મોટી જાહેરાત,દિવાળી સુધારી

By

Published : Oct 21, 2022, 9:34 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

ગુજરાતમાં આજથી લઇ 27 ઓક્ટોબરની રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ ( Harsh Sanghvi about traffic rule violation) દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ઉઘરાવવામાં આવશે નહીં.આ જાહેરાત ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં( Harsh Sanghvi in Surat ) કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાતની ટ્રાફિક પોલીસ કોઈપણ નાગરિકે હેલમેટ પહેર્યા નહીં હોય કે લાયસન્સ વગર હશે અથવા તો અન્ય પ્રકારના નિયમોનો ભંગ કરતા પકડાશે તો તેને ગાંધીગીરી કરી સમજાવવામાં આવશે. આઝાદીનો 75મો અમૃત મહોત્સવ ( 75th Amrit Mohotsav of Azadi ) અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા એક ફૂલ આપીને નિયમભંગની ભૂલનું ભાન કરાવવામાં આવશે. સાથે સંદેશ આપવામાં આવ્યો છે કે તમારી બચતથી કોઈ ગરીબ પરિવારના પાસે કોઈ સાધન સામગ્રી દીવા, તોરણો, રંગોળીઓ ખરીદવાના હોય એ બચત ટ્રાફિક પોલીસના ફંડમાં ન જાય તે માટે નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.