Somnath Mahadev: શ્રાવણીયા સોમવારે સોમનાથ મહાદેવને કરાયો પવિત્રા બારસનો શણગાર

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 6:49 AM IST

Updated : Aug 29, 2023, 1:24 PM IST

thumbnail

સોમનાથ: શ્રાવણ મહિનાનો સોમવાર અને પવિત્રા બારસ પ્રસંગે દેવાધિદેવ સોમનાથ મહાદેવને પવિત્રા શણગાર કરવામાં આવ્યો હતો. 40 હજારની આસપાસ શિવ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. દિવસ દરમિયાન સોમેશ્વર મહાપુજા ધ્વજા પૂજા રૂદ્રાભિષેક સહિત મહા મૃત્યુંજય યજ્ઞનું પણ મંદિર પરિસરમાં આયોજન થયું હતું. જેમાં પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો હાજર રહ્યા હતા. 40 હજારની આસપાસ શિવ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. 48 સોમેશ્વર મહાપૂજા 41 નૂતન ધ્વજા પૂજા 740 રૂદ્રાભિષેક અને મહા મૃત્યુંજય યજ્ઞમાં 682 જેટલા પરિવારોએ યજ્ઞમાં 15 હજાર જેટલી આહુતિ આપીને શ્રાવણીયો સોમવાર અને પવિત્રા બારસની ધાર્મિક ઉજવણી કરી હતી. પવિત્રા શણગાર શિવ ભક્તો માટે શ્રાવણ મહિનામાં શિવ પ્રત્યે ધર્મનો અહોભાવ વ્યક્ત કરવાની સાથે મહાદેવ સાથે ખૂબ ગાઢ સંબંધો પ્રસ્થાપિત કરવાના એક માર્ગ તરીકે પણ પવિત્ર શણગારથી મહાદેવની શિવલિંગને સુશોભિત કરવામાં આવે છે.

  1. ચંદ્ર ભગવાનને શ્રાપમાંથી મુક્તિ અપાવનાર સોમનાથ મહાદેવને આજે કરાયો ચંદ્ર દર્શન શણગાર
  2. Somnath Mahadev: સોમનાથ મહાદેવને ગંગા દર્શન શણગારથી કરાયા શોભાયમાન, શિવ ભક્તોએ કર્યા મા ગંગાની સાથે મહાદેવના દર્શન
Last Updated : Aug 29, 2023, 1:24 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.