Cyclone Biparjoy: વાવાઝોડાના સંભવિત લેન્ડફોલ વિસ્તાર નલિયાથી ETV Bharatનો ગ્રાઉન્ડ રિપોર્ટ

By

Published : Jun 15, 2023, 12:15 PM IST

Updated : Jun 15, 2023, 6:25 PM IST

thumbnail

કચ્છ: સંભવિત વાવાઝોડુ બિપરજોય કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારમાં થાય તેવી શક્યતા છે. હાલમાં વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર છે ત્યારે હાલમાં નલિયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને ઝડપી પવન ફૂંકાઈ રહ્યા છે. સાંજના આ વાવાઝોડું જખૌના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાવાઝોડા સમયે 130 થી 150 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નલિયામાં હાલમાં કલેક્ટરના આદેશ મુજબ આવશ્યક વસ્તુઓ સિવાયની બીજી દુકાનો અને બજાર બંધ જોવા મળી હતી. રસ્તા પણ સુમસામ બન્યા હતા. જિલ્લામાં NDRF, SDRF, RPF અને ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. 46000 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કચ્છનું વહીવટી તંત્ર સજ્જ છે.

15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.

  1. Cyclone Biparjoy: નૌકાદળના અનેક જહાજો સ્ટેન્ડબાય, આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત બિપરજોય
  2. Cyclone biparjoy video: અવકાશમાંથી કેવુ દેખાય છે ચક્રવાત બિપરજોય, જૂઓ વીડિયો
Last Updated : Jun 15, 2023, 6:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.