Rain in Junagadh : ગીરપંથકમાં પડેલા વરસાદે પાકમાં કરી કરામત

By

Published : Jul 12, 2022, 2:40 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં પાછલા બે દિવસ દરમિયાન (Gujarat Rain Update) કોડીનાર, સુત્રાપાડા અને ગીર ગઢડા તાલુકામાં 10 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. પરંતુ વરસાદે વિરામ લેતા વરસાદી પાણી હવે ઓસરી રહ્યા છે, ત્યારે છેલ્લા દિવસો દરમિયાન પડેલા અતિભારે (Beneficial due to Rain in Junagadh) વરસાદને ખેડૂતો પણ ખૂબ લાભકારી માની રહ્યા છે. કારણ કે, 15 મી જુનની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકામાં ચોમાસુ પાકોનું વાવેતર થઈ ચૂકી હતું. જેમાં મુખ્યત્વે શેરડી બાદ મગફળીનુ વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. મગફળીનું વાવેતર (Rain in Junagadh) થયાના એક મહિના બાદ અચાનક મગફળીના પાકમાં સુકારાનો રોગ જોવા મળતો હતો. તેને કારણે ખેડૂતોની ચિંતામાં ખૂબ વધારો થતો જોવા મળતો હતો. પરંતુ મહિના બાદ બે દિવસમાં પડેલો અતિભારે વરસાદને કારણે મગફળીમાં સુકારાના રોગ માટે જવાબદાર જીવાત અને ઈયળોનો નાશ થતા મગફળીનો પાક સુકારાના રોગથી મુક્ત થયો છે. જેને લઈને ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.