કોરોના સંક્રમણને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડ 16 જુલાઈથી 26 જુલાઈ સુધી બંધ રહેશે

By

Published : Jul 15, 2020, 1:06 AM IST

thumbnail

ભાવનગરઃ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે. આ દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવા ખેત ઉત્પન્ન બજાર સમિતિ આગામી તા- 16/7/2020થી 26/7/2020 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન શાકભાજી સિવાય તમામ પ્રકારની ખેત જણસની ખરીદી-વેચાણ સદંતર બંધ રહેશે. મહુવા માર્કેટિંગ યાર્ડ વહીવટી તંત્રએ ખેડૂતોને આ કટોકટીના સમયમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.