ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં : સંરક્ષણ નિષ્ણાંત કમર આગા
લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય પર થયેલા હિંસક હુમલા માટે ચીની સૈનિકોની ટીકા કરતા સંરક્ષણ નિષ્ણાંત કમર આગાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મંચ પર ચીનની કાર્યવાહીની નિંદા થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ચીની સૈનિકોનું વર્તન નિંદાકારક છે અને ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં. આ હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને 70થી વધુ ઘાયલ થયા હતા.