અધિર રંજનના આક્ષેપ અંગે અમિત શાહે કહ્યું કે, ટાગોરની ખુરશી પર હું નહીં, નહેરુ બેઠા હતા
ન્યુ દિલ્હીઃ લોકસભામાં મંગળવારે કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીના આક્ષેપ અંગે ગૃહપ્રધાન અમિત શાહે ખુલાસો આપ્યો હતો. શાહે કહ્યું કે, તેઓ કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેઠા નથી. સોમવારે અધિર રંજને કહ્યું હતું કે, શાહ ટાગોરની ખુરશી પર બેઠા છે. શાહે કહ્યું કે, હું નહીં પરંતુ નહેરુ તેની ખુરશી પર બેઠા હતા.