સાવધાન..! સુરતની મૂરત બિમારીઓથી રમણ ભમણ
સુરત : સુરત શહેરમાં પાણીજન્ય-રોગોએ (Waterborne Diseases cases) માથું ઊંચક્યું છે. જેમાં દિવસે દિવસે દર્દીઓની સંખ્યા વધતી જાય છે. સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં આ પ્રકારના દર્દીઓમાં ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે. તેને કારણે દર્દીઓની (Illness in Surat) હાલત કફોડી બની છે. પાણીજન્ય રોગો બે પ્રકારના હોય છે એક મચ્છર ઉત્પન્ન થાય અને ડાયરેક પાણી (Waterborne Skin Diseases) પીવામાં આવે છે જેમાં કોઈ પ્રકારના સાફ હોતા નથી. નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, પાણીના કારણે થતા ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગ થાય છે. જે મચ્છરોના કારણે ફેલાય છે. જેમાં જાન્યુઆરી 2022માં 10 કેસ, ફેબ્રુઆરીમાં 16 કેસ, માર્ચમાં 46 કેસ, એપ્રિલમાં 56 અને મેં મહિનામાં 36 જેટલા કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યુ મલેરિયા તાવ જેવા લક્ષણો દેખાય છે. વધુમાં જણાવ્યું હતુ કે, પાણીજન્ય-રોગોમાં હિપેડાઈસમાં તો પેટમાં દુખાવો, ગેસ, ડાયરા, ઉલ્ટીઓ થવી આમાં આરોનું પાણી પીઉં, ઉકાળેલું પાણી પીઉં, ડાયરેક્ટ બહારના કોઈ પણ પાણી પીવું જોઈએ નહિ. જેમકે, શેરડીનો રસ છે. આ ઉપરાંત આ પ્રકારના રોગો ચોમાસામાં વધારે હોય છે પરંતુ, હાલ ગરમી હોવાને કારણે જ ગંદુ પાણી હોય ત્યાં સાફ પાણીનું મિશ્રણ થઈ જાય છે. એટલે તેને કારણે લોકો (Surat Waterborne Diseases cases) આ પ્રકારના રોગનો ભોગ બને છે.