ETV Bharat / sukhibhava

સગર્ભા અને પોસ્ટપાર્ટમ સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર કેમ બને છે, જાણો કારણ

author img

By

Published : Mar 7, 2022, 5:17 PM IST

અધ્યયનમાં પ્રકાશમાં આવ્યું છે કે, ઘણી સગર્ભા અને પોસ્ટપાર્ટમ સ્ત્રીઓ એન્ટી-ડિપ્રેસન્ટ્સ (Pregnant women In Depression Problem) સાથે ચિંતા (healthy pregnancy tips) અનુભવે છે. ચાલો તેના વિશે આજે વધુ જાણીએ.

સગર્ભા અને પોસ્ટપાર્ટમ સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર કેમ બને છે, જાણો કારણ
સગર્ભા અને પોસ્ટપાર્ટમ સ્ત્રીઓ ડિપ્રેશનનો શિકાર કેમ બને છે, જાણો કારણ

એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ઘણી સગર્ભા સ્ત્રીઓ એન્ટી-ડિપ્રેસન્ટ્સનો (Pregnant women In Depression Problem) વપરાશ કરવા છતાં તેમની ગર્ભાવસ્થા દરમિયાન અને પોસ્ટપાર્ટમમાં લાંબા સમય સુધી ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો (Symptoms of depression and anxiety pregnant women) ધરાવે છે. સારવાર લઇ રહેલી હતાશ સ્ત્રીઓમાં ચિંતાના લક્ષણો સામાન્ય છે તો કેટલીક સ્ત્રીઓમાં લક્ષણો સમય જતાં બગડે છે. આ અભ્યાસ 'સાયકૅટ્રિક રિસર્ચ એન્ડ ક્લિનિકલ પ્રેક્ટિસ' જર્નલમાં પ્રકાશિત થયો હતો.

જાણો આ મહત્વના ડેટા વિશે

સગર્ભા અને પોસ્ટપાર્ટમ સ્ત્રીઓમાં ડિપ્રેશન અને ચિંતાના વિવિધ માર્ગને માપવા માટે આ પહેલો અભ્યાસ હતો. જેમાં સગર્ભાવસ્થા દરમિયાન 18 ટકા સ્ત્રીઓમાં ન્યૂનતમ, 50 ટકા હળવા અને 32 ટકા ક્લિનિકલી સંબંધિત ડિપ્રેસિવ લક્ષણો હતાં. આ પ્રથમ રેખાંશ ડેટા છે, જે દર્શાવે છે કે, ઘણી સગર્ભા સ્ત્રીઓ એન્ટીડિપ્રેસન્ટસ સાથે સારવાર ચાલુ રાખવાની તેની પસંદગી હોવા છતાં ગર્ભાવસ્થા અને પોસ્ટપાર્ટમ દરમિયાન ડિપ્રેશન અને ચિંતાના લક્ષણોની જાણ કરે છે. વરિષ્ઠ લેખક ડૉ. કેથરિન વિસ્નર, જણાવે છે કે, આ મહિલાઓને ગર્ભાવસ્થા અને પોસ્ટપાર્ટમ દરમિયાન સતત દેખરેખ રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: health benefit of Silver anklet: શું તમને ખબર છે? સિલ્વર એંકલેટ તમારા સ્વાસ્થ્યને પણ ફાયદાકારક છે!

ડૉ. કેથરિન સ્ટિકાએ જણાવ્યું......

નોર્થવેસ્ટર્ન ખાતે પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાનના ક્લિનિકલ પ્રોફેસર, સહ-લેખક ડૉ. કેથરિન સ્ટિકાએ જણાવ્યું હતું કે, સામાન્ય ધોરણે "મનોવૈજ્ઞાનિક અને મનોસામાજિક પરિબળો સમગ્ર બાળજન્મમાં ઝડપથી બદલાય છે." "પુનરાવર્તિત સ્ક્રિનિંગ તમારા ચિકિત્સકને તમારા લક્ષણોમાં સુધારો થાય, ત્યાં સુધી હસ્તક્ષેપના પ્રકાર અને/અથવા તીવ્રતાને અનુકૂલિત કરવાની મંજૂરી આપશે,"

ડિપ્રેશન સ્ત્રીના શિશુને પણ અસર કરે છે

ડિપ્રેશન સ્ત્રીના શિશુને પણ અસર કરે છે. વિઝનર જણાવે છે કે, હતાશા અને નિરાશા માતાના સંપર્કમાં આવતા બાળકોના વિકાસ પર અસર થવા લાગે છે અને બાળપણના વિકાસલક્ષી વિકૃતિઓનું જોખમ વઘે છે. નવા સંશોધનમાં એ પણ દર્શાવાયું છે કે, સગર્ભા સ્ત્રીઓ તેમના ડિપ્રેશનની સારવાર માટે પસંદગીયુક્ત એન્ટીડિપ્રેસન્ટ્સ લેતી હોય છે, જે એલિવેટેડ બોડી માસ ઇન્ડેક્સ, માઇગ્રેઇન્સ, થાઇરોઇડ વિકૃતિઓ અને અસ્થમા સહિત સબ-ઑપ્ટિમલ સ્વાસ્થ્ય દર્શાવે છે. ખાવાની વિકૃતિઓનો ઇતિહાસ એલિવેટેડ ડિપ્રેશન ટ્રેજેક્ટરી સ્કોર્સની આગાહી કરે છે.

પેરીનેટલ ડિપ્રેશન અને અસ્વસ્થતા વ્યાપક

પેરીનેટલ ડિપ્રેશન અને અસ્વસ્થતા વ્યાપક છે, જે ગર્ભાવસ્થા દરમિયાન અને જન્મ પછી 20 ટકા સ્ત્રીઓ પર અસર કરે છે. યુ.એસ.માં વાર્ષિક અંદાજે 500,000 સગર્ભાવસ્થાઓ એવી સ્ત્રીઓમાં પરિણમશે જેમને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક બીમારી હોય અથવા હશે. આ અભ્યાસમાં 88 ગર્ભવતી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ અભ્યાસમાં પ્રવેશથી લઈને ડિલિવરી સુધી અને પ્રસૂતિ પછીના છ અને 14 અઠવાડિયામાં દર ચાર અઠવાડિયે મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચો: benefits of honey: યોગવાહી છે મધ, આરોગ્ય અને સુંદરતા બંનેમાં કરે છે વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.