ETV Bharat / sukhibhava

શું ખરેખર ફ્લૂ રસીકરણથી અલ્ઝાઈમર રોગનું જોખમ ઘટે છે ?

author img

By

Published : Jun 27, 2022, 2:30 PM IST

શું ખરેખર ફ્લૂ રસીકરણથી અલ્ઝાઈમર રોગનું જોખમ ઘટે છે ?
શું ખરેખર ફ્લૂ રસીકરણથી અલ્ઝાઈમર રોગનું જોખમ ઘટે છે ?

UTHealth Houston દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ નવા અભ્યાસ મુજબ, જે લોકોએ ઓછામાં ઓછી એક ઈન્ફલ્યુએન્ઝા રસી (influenza vaccine) લીધી છે, તેઓમાં ચાર વર્ષ દરમિયાન અલ્ઝાઈમર રોગ (Alzheimer's disease) થવાની શક્યતા તેમના બિન-રસીવાળા સાથીઓ (non-vaccinated peers) કરતા 40 ટકા ઓછી હતી.

ન્યુઝ ડેસ્ક: યુનિવર્સિટી ઓફ ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટર (University of Texas Health Science Center), હ્યુસ્ટનના સંશોધનમાં 65 અને તેથી વધુ ઉંમરના USના પુખ્ત વયના લોકોના મોટા રાષ્ટ્રવ્યાપી નમૂનામાં અગાઉ ફલૂ રસીકરણ ધરાવતા અને રસીકરણ વગરના દર્દીઓ વચ્ચે અલ્ઝાઈમર રોગના (Alzheimers disease) જોખમની તુલના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઑનલાઇન અભ્યાસ બાળકો માટે બની શકે છે માથાના દુખાવાનું કારણ...

અલ્ઝાઈમર થવાનો દર સૌથી ઓછો: યુનિવર્સિટીના અવરામ એસ. બુખ્બિન્દરે (Avram S. Bukhbinder, from the varsity) જણાવ્યું હતું કે, પુખ્ત વયના લોકોમાં ફલૂની રસી કેટલાંક વર્ષો સુધી અલ્ઝાઈમર રોગ થવાનું જોખમ ઘટાડે છે. આ રક્ષણાત્મક અસરની મજબૂતાઈ વ્યક્તિએ વાર્ષિક ફ્લૂની રસી મેળવેલા વર્ષોની સંખ્યા સાથે વધી છે. બીજા શબ્દોમાં કહીએ તો, દર વર્ષે સતત ફ્લૂની રસી મેળવનારાઓમાં અલ્ઝાઈમર થવાનો દર સૌથી ઓછો હતો. ભવિષ્યના સંશોધનમાં એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે, શું ફલૂ રસીકરણ પણ દર્દીઓમાં લક્ષણોની પ્રગતિના દર સાથે સંકળાયેલું છે કે જેઓ પહેલાથી જ અલ્ઝાઈમર ડિમેન્શિયા (Alzheimer's dementia) ધરાવતા હોય. અભ્યાસ મુજબ, જે UTHealth હ્યુસ્ટનના સંશોધકોને ફલૂની રસી અને અલ્ઝાઈમર રોગના (Alzheimer's disease) ઘટાડા જોખમ વચ્ચે સંભવિત કડી મળ્યાના બે વર્ષ પછી આવે છે - અગાઉના સંશોધન કરતાં ઘણા મોટા નમૂનાનું પૃથ્થકરણ કર્યું હતું, જેમાં 935,887 ફ્લૂ-રસી (flu vaccine) કરાયેલ દર્દીઓ અને 935,887 બિન-રસી કરાયેલ દર્દીઓનો સમાવેશ થાય છે.

ફલૂ રસીની મજબૂત રક્ષણાત્મક અસર: બુખ્બિન્દરે અને તેના સહયોગીઓ અનુસાર,ચાર વર્ષની ફોલો-અપ એપોઇન્ટમેન્ટ દરમિયાન, લગભગ 5.1 ટકા ફ્લૂ-રસી કરાયેલ દર્દીઓને અલ્ઝાઇમર રોગ (Alzheimer's disease) થયો હોવાનું જણાયું હતું. જ્યારે 8.5 ટકા રસી વગરના દર્દીઓને ફોલો-અપ દરમિયાન અલ્ઝાઈમર રોગ થયો હતો. આ પરિણામો અલ્ઝાઈમર રોગ સામે ફલૂ રસીની મજબૂત રક્ષણાત્મક અસરને રેખાંકિત કરે છે. જો કે, આ પ્રક્રિયા પાછળની અંતર્ગત મિકેનિઝમ્સને વધુ અભ્યાસની જરૂર છે.

આ પણ વાંચો: જો તમે પણ કૃત્રિમ સ્વીટનર્સનો કરો છો ઉપયોગ તો થઈ જજો સાવચેત....

રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે: યુનિવર્સિટીના પ્રોફેસર, ઇ.બી. શુલ્ઝે (Paul. E. b Schulz) જણાવ્યું હતું કે, ઘણી રસીઓ અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે તેવા પુરાવા હોવાથી, અમે વિચારીએ છીએ કે તે ફલૂની રસીની ચોક્કસ અસર નથી. "તેના બદલે, અમે માનીએ છીએ કે, રોગપ્રતિકારક શક્તિ જટિલ છે અને ન્યુમોનિયા જેવા કેટલાક ફેરફારો તેને એવી રીતે સક્રિય કરી શકે છે, જે અલ્ઝાઈમર રોગને વધુ ખરાબ બનાવે છે. પરંતુ અન્ય વસ્તુઓ જે રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરે છે તે અલગ રીતે કાર્ય કરી શકે છે, જે અલ્ઝાઈમર રોગથી રક્ષણ આપે છે. સ્પષ્ટપણે, આ રોગમાં રોગપ્રતિકારક શક્તિ (immune system) કેવી રીતે ઓછી થાય છે અથવા પરિણામોમાં શું સુધારો થાય છે, તે વિશે આપણે વધુ શીખવાનું છે.

COVID-19 રસી: પાછલા અભ્યાસોમાં ફલૂની રસી અને ટિટાનસ, પોલિયો અને હર્પીસ સહિત વિવિધ પુખ્તવયની રસીઓના અગાઉના સંપર્ક સાથે સંકળાયેલ ઉન્માદનું જોખમ ઓછું જોવા મળ્યું છે. વધુમાં, જેમ જેમ COVID-19 રસીની રજૂઆત પછી વધુ સમય પસાર થાય છે અને લાંબા સમય સુધી ફોલો-અપ ડેટા ઉપલબ્ધ થાય છે, ત્યારે બુખ્બિંડરે જણાવ્યું હતું કે, COVID-19 રસીકરણ અને અલ્ઝાઈમર રોગના જોખમ વચ્ચે સમાન જોડાણ અસ્તિત્વમાં છે કે કેમ તેની તપાસ કરવી યોગ્ય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.