ETV Bharat / sukhibhava

સુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય તરીકે

author img

By

Published : Oct 11, 2022, 5:36 PM IST

Updated : Oct 12, 2022, 9:33 AM IST

લોકોમાં ડાયાબિટીસનો (foods avoid to diabetes) રોગ સામાન્ય બની ગયો છે. જો ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો અને શુગર કંટ્રોલમાં (sugar control food) નથી, તો ગભરાવવાની જરૂર નથી. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે, જેની મદદથી ડાયાબિટીસના દર્દીઓ તેમની શુગરને કંટ્રોલ કરી શકે છે. એટલું જ નહીં જો એને નિયમીત રીતે ડાયેટમાં સામિલ કરી દેવામાં આવે તો ફાયદો થઈ શકે છે.

Etv Bharatશુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે
Etv Bharatશુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે

ન્યૂઝ ડેસ્ક: વધારે પડતું મીઠું ખાવાને કારણે ડાયાબિટિઝનું જોખમ વધી જાય છે. પણ સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં દરેક પીડાનો ઈલાજ લખેલો છે. જેના થકી સારવાર થઈ શકે છે. ડાયાબિટીસ (foods to avoid diabetes) ની સમસ્યાથી પરેશાન છો અને શુગર કંટ્રોલ (sugar control food) માં નથી તો આમળા, અંજીરના પાન જેવી વસ્તુને ડાયેટમાં સામિલ કરીને એને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે.

જાબુંના બીજઃ ડાયાબિટીસના દર્દીઓ માટે જામુનના બીજ ખૂબ જ ફાયદાકારક છે. જો શુગર કંટ્રોલ નથી થઈ રહ્યું તો તમે જાબુંના બીજની મદદ લઈ શકો છો. આ માટે જાબુંની દાળને સૂકવી લો અને પછી તેને પીસીને પાવડર બનાવી લો. દરરોજ ખાલી પેટે હૂંફાળા પાણી સાથે જાંબુના દાણાના પાવડરને પીવો. તેનાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળશે.

શુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે
શુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે

આમળાઃ આમળા શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આમળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમળામાં હાઈપોગ્લાયકેમિક ગુણ હોય છે. આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે. આમળા શુગર લેવલ ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે.

શુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે
શુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે

અંજીરનાં પાનઃ જો ડાયાબિટીસના દર્દી છો તો અંજીરનાં પાન પણ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. અંજીરના પાંદડામાં ડાયાબિટીક મારક ગુણ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો દરરોજ સવારે ખાલી પેટે અંજીરનાં પાન ચાવો. જો કે તમે તેને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો.

શુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે
શુગરને નિયંત્રિત કરવા માટે આ ત્રણ આયુર્વેદિક ફળો એક ઉપાય કરીકે

અન્ય ઉપચાર: દરરોજ વૉકિંગ કરવાની આદત પાડો. નિયમિત કસરત અને વૉકિંગ દ્વારા સ્નાયુઓની મજબૂતાઈ વધારીને ઇન્સ્યુલિન પરનો ભાર ઘટાડી શકાય છે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા બ્લડ સુગરના સ્તરને કંટ્રોલ કરી શકાય છે. સખત મહેનત કરવી અને લિમિટેડ ફૂડ લેવું એ આપણું સૂત્ર હોવું જોઈએ. જો ઇન્સ્યુલિન શોટ લેતા હો, તો દિવસમાં ત્રણ વખત હળવું ભોજન અને દિવસમાં ત્રણ વખત સાધારણ ભારે ભોજન લેવું જોઈએ.

Last Updated :Oct 12, 2022, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.