ETV Bharat / state

વાપીમાં 9 વર્ષની બાળકીનો પંખે લટકતો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

author img

By

Published : Feb 8, 2020, 12:39 PM IST

વાપીના એક વિસ્તારમાં મકાનમાંથી 9 વર્ષની બાળકીનો પંખે લટકી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા અરેરાટી મચી ગઇ છે. હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલવામાં આવ્યો છે.

વાપીમાં 9 વર્ષની બાળકીનો પંખે લટકતો મૃતદેહ મળ્યો
વાપીમાં 9 વર્ષની બાળકીનો પંખે લટકતો મૃતદેહ મળ્યો

વાપીઃ શહેરના એક વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની દીકરીનો મૃતદેહ પંખે લટકતો મળી આવ્યો હતો. આ ઘટનામાં કોઈએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી મૃતદેહને પંખે લટકાવી દીધો હોવાની આશંકા લોકો સેવી રહ્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ, વાપીના એક વર્ષથી ભાડે રૂમ રાખી રહેતા એક પરિવારની 9 વર્ષીય બાળકીની મૃતદેહ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા વિસ્તારના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને અને પોલીસને જાણ કરી હતી. આ મૃતદેહનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. બાળકી સાથે કોઇ અણબનાવ બન્યો હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

વાપીમાં 9 વર્ષની બાળકીનો પંખે લટકતો મૃતદેહ મળ્યો
પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબજો લઇ સરકારી હોસ્પિટલમાં મોકલાવી પીએમની કામગીરી હાથ ધરી હતી. જો કે, પ્રાથમિક તપાસમાં તબીબને શંકા જતા તેમણે બાળકીના મૃતદેહને પેનલ પીએમ માટે સુરત રવાના કરી હોવાનું જાણવા મળ્યું છે. મોત અંગેનું રહસ્ય ઉકેલવા પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી છે. બાળકીના સંબંધીઓએ અને આસપાસના રહીશોએ જણાવ્યું હતું કે, બાળકી ઘરમાં બધાની લાડલી અને ભણવામાં પણ હોશિયાર હતી. તે જોતા તે આવું કરી જ નહીં શકે. તેની ઊંચાઈને જોતા તે પંખા સુધી પહોંચી શકે તેમ નથી. આ ઘટનામાં બનાવ બાદ દરવાજો પણ ખુલ્લો હતો. લાગે છે કે, તેની સાથે કંઇક ખોટું થયું છે.

હાલ સમગ્ર મામલે પોલીસે પણ સઘન પૂછપરછ હાથ ધરી છે. મૃતક બાળકીના પરિવારજનો નોકરી કરતા હોવાથી તમામ સવારે ઘરેથી નીકળ્યા બાદ સાંજે 5 વાગ્યે ઘરે આવતા હતા. બાળકી પણ સવારે નજીકની સ્કૂલમાં અભ્યાસ કરતી હોય દરરોજ 2 વાગ્યે ઘરે આવી ઘરે પણ અભ્યાસમાં પરોવાયેલી રહેતી હતી.

Intro:Location :- વાપી


વાપી :- વાપી નગરપાલિકા વિસ્તારના ગીતાનગરની એક રૂમમાંથી 9 વર્ષની બાળકીનો પંખે લટકી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા અરેરાટી મચી ગઇ છે. હાલ બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલવામાં આવ્યો છે. ગરીબ પરિવારની દીકરીનો મૃતદેહ પંખે લટકતો મળી આવતા આ ઘટનામાં કોઈએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી મૃતદેહને પંખે લટકાવી દીધો હોવાની આશંકા લોકો સેવી રહ્યા છે.Body:આ અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉનના ગીતાનાગરની એક ચાલમાં ભાડે રૂમ રાખી રહેતા એક પરિવારની ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકીની લાશ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચાલીના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને અને પોલીસને જાણ કરાતા લાશનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. બાળકી સાથે કોઇ અણબનાવ બન્યો હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

પોલીસે તાત્કાલિક લાશનો કબજો લઇ ચલા સરકારી હોસ્પિટલમાં મોકલાવી પીએમની કામગીરી હાથ ધરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં તબીબને શંકા જતા તેમણે બાળકીની લાશને પેનલ પીએમ માટે સુરત રવાના કરી હોવાનું જાણવા મળે છે. મોત અંગેનું રહસ્ય ઉકેલવા પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી છે.

બાળકીના સંબંધીઓએ અને આસપાસના રહીશોએ જણાવ્યું હતું કે બાળકી ઘરમાં બધાની લાડલી અને ભણવામાં પણ હોશિયાર હતી. તે જોતા તે આવું કરી જ નહીં શકે. તેની ઊંચાઈને જોતા તે પંખા સુધી પહોંચી શકે તેમ નથી. ઘટનામાં બનાવ બાદ દરવાજો પણ ખુલ્લો હતો. લાગે છે કે તેની સાથે કંઇક ખોટું થયું છે.Conclusion:હાલ સમગ્ર મામલે પોલીસે પણ સઘન પૂછપરછ હાથ ધરી છે. મૃતક બાળકીના માતાપિતા એક કંપનીમાં નોકરી છે. જ્યારે એક ભાઈ શો રૂમ માં નોકરી કરે છે. તમામ સવારે ઘરેથી નીકળ્યા બાદ સાંજે 5 વાગ્યે ઘરે આવતા હતા. બાળકી પણ સવારે નજીકની સ્કૂલમાં ધોરણ 4 માં અભ્યાસ કરતી હોય દરરોજ 2 વાગ્યે ઘરે આવી ઘરે પણ અભ્યાસમાં પરોવાયેલી રહેતી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.