ઉમેદવારી નોંધાવતા પહેલા રંજન ભટ્ટે પોતાના નિવાસ સ્થાન નજીક આવેલા મહાદેવના મંદિરે દર્શાન કર્યા હતાં અને પોતાની જીત માટે પ્રભુના આર્શીવાદ માંગ્યા હતાં. જો કે, ઉમેદવારી નોંધાવાની હોવાના કારણે વહેલી સવારથી જ તેમના સર્મથકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા.
પોતાના ઘરમાં ભગવાનની પૂજા કર્યા બાદ રંજન ભટ્ટે પોતાના સર્મથકો સાથે એક રેલી સ્વરૂપે નિકળીને જ્યુબીલી બાગ ખાતે આવ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક જાહેર સભાને સંબોધી હતી. જ્યાં વિજય રૂપાણીએ લોકસભા-2019ની ચૂંટણીને ભારત vs પાકિસ્તાન વચ્ચે હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને પોતાના આકરા તેવર દર્શાવ્યા હતા.