ETV Bharat / state

વડોદરાના તબીબી અધિક્ષકે મૃતબાળકોના આંકડા ના આપ્યા, કોંગ્રેસના ધરણા

author img

By

Published : Jan 6, 2020, 5:49 PM IST

vadora
વડોદરામાં બાળકોના મૃત્યુ આંક વધવાને પગલે કોગ્રેસ દ્વારા વિરોધ

વડોદરાઃ ગુજરાતમાં નવજાત બાળકોના મૃત્યુ આંક વધવાને લઈને હવે કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ કરી રહી છે. ત્યારે વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા SSG હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

રાજસ્થાનના કોટામાં નવજાત બાળકોના મોતના આંકડાઓને લઈને કોંગ્રેસના માથે માછલાં ધોવાયા બાદ ગુજરાતની સરકારી હોસ્પિટલોના પણ આંકડાઓ ઉડીને આંખે વળગતા કોંગ્રેસે રાજ્ય સરકાર પર વળતો પ્રહાર કરી મુદ્દાને લઈને સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ રૂપે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.

વડોદરામાં બાળકોના મૃત્યુ આંક વધવાને પગલે કોગ્રેસ દ્વારા વિરોધ

વડોદરામાં મહિલા કોંગ્રેસ દ્વારા SSG હોસ્પિટલ સ્થિત મેડિકલ સુપરિટેનડેન્ટની કચેરીએ પહોંચી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યા હતા અને તબીબી અધિક્ષક ડૉ. રાજીવ દેવેશ્વરને આવેદનપત્ર પાઠવી હોસ્પિટલમાં કેટલા નવજાત બાળકોના એક વર્ષમાં મોત નિપજ્યા તેની માહિતી માંગી હતી. ડૉ. રાજીવ દેવેશ્વરએ પોતે સરકારને રિપોર્ટ આપતા હોવાનું જણાવી આંકડા આપ્યા ન હતા.

જ્યારે બીજી તરફ SSG હોસ્પિટલના મેડિકલ સુપરિટેનડેન્ટ રાજીવ દેવેશ્વરને વડોદરામાં એક વર્ષમાં નવજાત બાળકોનો મૃત્યુ આંક શુ છે અને કોંગ્રેસની રજૂઆત મામલે તેઓની શું પ્રતિક્રિયા છે. તેવો સવાલ પુછાતા તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા.

Intro:ગુજરાત માં નવજાત બાળકો ના મૃત્યુ આંક વધવાને લઈને હવે કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ કરી રહી છે ત્યારે વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા એસ એસજી હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું
Body:રાજસ્થાન ના કોટા માં નવજાત બાળકો ના મોત ના આંકડાઓ ને લઈને કોંગ્રેસ ના માથે માછલાં ધોવાયા બાદ ગુજરાત ની સરકારી હોસ્પિટલો ના પણ આંકડાઓ ઉડી ને આંખે વળગતા કોંગ્રેસે રાજ્ય સરકાર પર વળતો પ્રહાર કરી મુદ્દા ને લઈને સરકાર ને ભીંસ માં લેવાના પ્રયાસ રૂપે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે..Conclusion:વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ સ્થિત મેડિકલ સુપરિટેનડેન્ટ ની કચેરીએ પહોંચી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યા હતા અને તબીબી અધિક્ષક ડો.રાજીવ દેવેશ્વર ને આવેદનપત્ર પાઠવી એસએસજી હોસ્પિટલ માં કેટલા નવજાત બાળકો ના એક વર્ષ માં મોત નિપજ્યા તેની માહિતી માંગી હતી પરંતુ ડો.રાજીવ દેવેશ્વર એ પોતે સરકાર ને રિપોર્ટ આપતા હોવાનું જણાવી આંકડા આપ્યા ન હતા..

જ્યારે બીજી તરફ એસ એસ જી હોસ્પિટલ ના મેડિકલ સુપરિટેનડેન્ટ રાજીવ દેવેશ્વર ને વડોદરા માં એક વર્ષમાં નવજાત બાળકો નો મૃત્યુ આંક શુ છે અને કોંગ્રેસ ની રજુઆત મામલે તેઓની શુ પ્રતિક્રિયા છે તેવો સવાલ પુછાતા તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા

બાઈટ - ડો.રાજીવ દેવેશ્વર - મેડિકલ સુપરિટેનડેન્ટ, એસએસજી હોસ્પિટલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.