ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો, 30 મહિલાઓને કરાઈ સન્માનિત

author img

By

Published : Jul 10, 2019, 1:28 PM IST

સુરેન્દ્રનગર: દેશમાં બાળકોને પુરતું પોષણ મળી રહે તેમજ બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. હાલમાં જોઈએ તો બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે અંગે જાણકારી આપવા માટે સુરેન્દ્રનગરમાં સુપોષણ ચિંતન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો, 30 મહિલાઓને કરાઈ સન્માનિત

બાળકોમાં કુપોષણ દૂર થાય તે ઉમદા હેતુથી સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) હાલમાં કાર્યરત છે. જેમાં જન્મથી 6 વર્ષના બાળકોના આરોગ્ય તેમજ તેના પોષણના સ્તરમાં સુધારો થાય તે માટે કાર્ય કરવામાં આવે છે. આ પ્રકારના બાળકોમાં શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનો પાયો નાખવો તેમજ કુપોષણ તેમજ અન્ય બિમારી દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

સુરેન્દ્રનગરમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો, 30 મહિલાઓને કરાઈ સન્માનિત

આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. સાથે તેમને પોષણયુક્ત ખોરાકની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. ત્યારે આ યોજનામાં કામ કરતા બહેનોને પ્રોત્સાહન મળી રહે અને તેમના કાર્ય કરવાનો ઉત્સાહ વધે તે માટે સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ ICDSના કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં આંગણવાડીના ત્રીસ જેટલા બહેનોને માતા યશોદા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આંગણવાડી તેડાગર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સગર્ભા ધાત્રી મહિલાઓને અને બાળકોને પોષણ કીટ પણ આપવામાં આવી હતી.

Intro:nullBody:STR B.T.(S.NAGAR)
MO.9825580217
વિષય= સુપોષણ ચિંતન સમારોહ
દેશની અંદર બાળકોને પૂરતું પોષણ મળે તે માટે અને તે કુપોષણ નો ભોગ ન બને તે સરકાર દ્વારા યોજનાઓ કાર્યરત છે.હાલમાં બાળકોમાં કુપોષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગરીબ ઘર માં બાળકોમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આંગણવાડીની અંદર આવા બાળકોને પોષણ યુક્ત ખોરાક મળી રહે તેમજ સગર્ભા મહિલાઓને પૂરતું પોષણ મળે જેથી તંદુરસ્ત બાળકનો જન્મ થાય અને સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. દેશની અંદર રહેતા બાળકોમાં કુપોષણ દૂર થાય તે ઉમદા હેતુથી સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઈ.સી.ડી.એસ) હાલમાં કાર્યરત છે. જેમાં જન્મ થી 6 વર્ષના બાળકોના આરોગ્ય તેમજ તેનામાં પોષણના સ્તર માં સુધારો થાય તે માટે કામ કરે છે. તેમજ આવા બાળકોને શારીરિક,માનસિક, અને સામાજિક વિકાસનો પાયો નાખવો, તેમજ કુપોષણ તેમજ અન્ય બીમારી દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે સગર્ભા મહિલાઓને પણ પોષણ યુક્ત આહાર લેવા માટે સમજાવવા માં આવે છે. સાથે તેમજ કયો ખોરાક ખાવાથી તેમાં પોષણ મળે છે. તે અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવે છે. ત્યારે આ યોજના કામ કરતા બહેનોને પ્રોત્સાહન મળે અને તેમના કાર્યમાં વધુ કામ કરે તે માટે સુ પોષણ ચિંતન સમારોહ સુરેન્દ્રનગર માં યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના સંસદ સભ્ય ધારાસભ્ય તેમજ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને કાર્યક્રમ માં મહિલાઓ પોષણ યુક્ત હશે તો તે પણ એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકે અને તે માટે હાલના વડાપ્રધાન અને તે વખતે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ એ આ યોજના શરૂ કરી હતી. અને આગામી થોડાક વર્ષ માં આપણે કુપોષણ ને જાકારો આપી તે માટે આપણે પણ આગળ આવી તેવું સુચન પણ કરવામાં આવ્યું હતું. સાથે આંગણવાડીના ત્રીસ જેટલા બહેનોને માતા યશોદા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે આંગણવાડી તેડાગર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સગર્ભા ધાત્રી મહિલાઓને અને બાળકોને પોષણકીટ પણ આપવામાં આવી હતી.
Conclusion: બાઈટ
(૧) ડૉ..મહેન્દ્ર મુંજપરા
(સંસદસભ્ય સુરેન્દ્રનગર)
(૨) ધનજીભાઈ પટેલ
(ધારાસભ્ય વઢવાણ)
(૩) મનીષા બ્રહ્મભટ્ટ (આઈ. સી
ડી.એસ. યોજના પ્રોગ્રામ ઓફિસર સુરેન્દ્રનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.