ETV Bharat / state

Surat News : પીઝા પ્રેમીઓ ચેતી જજો, પિઝા હટ અને લોપીનોઝમાં હલકી કક્ષાની ચીઝનો ઉપયોગ

author img

By

Published : May 20, 2023, 8:52 PM IST

Surat News : પીઝા પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર, પિઝા હટ અને લોપીનોઝમાં વપરાતી ચીઝનો ફૂડ વિભાગે કર્યો નાશ
Surat News : પીઝા પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર, પિઝા હટ અને લોપીનોઝમાં વપરાતી ચીઝનો ફૂડ વિભાગે કર્યો નાશ

નામાંકિત બ્રાન્ડથી તમે પીઝા ખાવા જઈ રહ્યા છો તો ચેતી જજો કારણ કે, સુરતમાં પિઝા હટ અને લોપીનોઝ નામની બ્રાન્ડેડ પીઝાની ફ્રેન્ચાઇઝીમાં વપરાતી ચીઝની હલકી કક્ષા હોવાનો સામે આવ્યો છે. SMCએ સુરતની 6 સંસ્થામાંથી 40 કિલો ચીઝનો નાશ કર્યો છે. આ ચીઝ માન્ય ધારાધોરણ મુજબ નહીં હોવાના કારણે ફુડ સેફટી વિભાગે નાશ કર્યા હતા.

પીઝા પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર, પિઝા હટ અને લોપીનોઝમાં વપરાતી ચીઝનો ફૂડ વિભાગે કર્યો નાશ

સુરત : પીઝાના ચાહકો માટે સુરતથી જે ખબર આવી રહી છે તે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે સુરતની બ્રાન્ડેડ કંપનીઓના ફ્રેન્ચાઇઝીમાંથી જે ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા તે લેબમાં ફેલ થયા છે. સુરત મહાનગરપાલિકાએ શહેરમાં પીઝાનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી માયોનીઝ ચીઝના નમુના એકત્ર કર્યા હતા અને તેને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા. આ સંસ્થાઓમાંથી છ સંસ્થાઓના નમૂનાઓ ફેઇલ ગયા છે. જેના કારણે પાલિકા ફુડ સેફટી વિભાગે છ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

જે ઉનાળાની સીઝન ચાલી રહી છે અમે જુદી જુદી ડ્રાઈવ કરી રહ્યા છે. પીઝા બનાવવામાં અને જુદી જુદી વાનગીઓ બનાવવામાં માયોનીઝ ચીજ વાપરવામાં આવે છે. તેવી ચીજ વસ્તુઓના નમૂનાઓ લઈ સુરત મહાનગરપાલિકાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. અમે કુલ 13 નમૂનાઓ લીધા હતા. જેમાંથી કુલ છ નમૂનાઓ જે ફુટ સેફટી નિયમના અંતર્ગત આવે છે. તે નહીં હોવાથી ફેલ થયા છે. આવી સંસ્થાઓમાં ચેક કરી કુલ 40 કિલો માયોનીઝ ચીઝના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને આવા તત્વો સામે આગળ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. - ડી.કે.પટેલ (ફૂડ સેફટી ઓફિસર)

પીઝા પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર : હાલ ગરમીના સિઝનમાં લોકો મોટાભાગે વેકેશનના મૂડમાં છે અને બહાર રેસ્ટોરન્ટમાં જમવા પણ જાય છે. એટલું જ નહીં લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને હલકી ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓનો વપરાશ ન થાય આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અગાઉ આ ડ્રાઈવ હેઠળ સુરતમાં પનીર આઇડીશ તેમજ આઈસ્ક્રીમમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. હવે પીઝા પ્રેમીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આ છે કે પીઝામાં વપરાશમાં આવનાર માયોનીઝ ચીઝ પણ નિર્ધારિતા ધારા ધોરણ પ્રમાણે ખાવા માટે યોગ્ય નથી.

Vadodara news: વાઘોડિયા રોડ પાસે આવેલ પીઝા રેસ્ટોરન્ટની લિફ્ટ તૂટતા બાળકી સહિત 4 લાકોને ઇજા

વડાપ્રધાન મોદીની વાતથી પ્રેરિત થનાર સુરતના યુવાને કુલ્હડ પીઝા બનાવી લોકોને કર્યા આશ્ચર્યચકિત

બાળકોએ બનાવી વાનગીઓ: જુવારના વડા પીઝા ફ્લેવર સહિત 8 મિલેટ ધાન્યની 38 વાનગીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.