ETV Bharat / state

Surat Corona Update: સુરત ગ્રામ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે માત્ર 23 પોઝિટીવ કેસ નોંધાયા

author img

By

Published : Jun 15, 2021, 10:57 PM IST

સુરત ગ્રામ્યમાં આજે મંગળવારે કોરાના વાયરસના માત્ર 23 પોઝિટિવ કેસ નોંધાયા છે, વાયરસને લીધે વધુ 01 દર્દીનું મોત થયું છે, જ્યારે આજે વધુ 108 દર્દીઓએ કોરાનાને માત આપી. હાલ 528 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરત
સુરત

  • વાયરસના લીધે માંગરોળના 57 વર્ષીય આધેડનું થયું મોત
  • 108 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયા
  • મૃત્યુઆંક 477 અને સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા 30,881 પર પહોંચી

સુરત: તાલુકાઓમાં ઓછા કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે બધા તાલુકો મળી ગ્રામ્યમાં કોરાના વાયરસના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે માંગરોળના 57 વર્ષીય આધેડનું વાયરસના લીધે મોત થયુ છે. જ્યારે આજે 108 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયા હતા. હાલ 528 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,886 પર અને મૃત્યુઆંક 477 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 30,881 પર પહોંચી ગઇ છે.

આ પણ વાંચો:surat rural corona update: સુરત ગ્રામ્યમાં આજે કોરાનાના 25 કેસ નોંધાયા

  • તાલુકા અને પોઝિટીવ કેસના આંકડાઓ
  1. ચોર્યાસી- 0
  2. ઓલપાડ-03
  3. કામરેજ- 02
  4. પલસાણા- 05
  5. બારડોલી- 02
  6. મહુવા- 07
  7. માંડવી- 02
  8. માંગરોળ- 02
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.