ETV Bharat / state

Accident Death in Surat : સુરતમાં કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા મોત

author img

By

Published : Mar 2, 2022, 10:20 AM IST

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી સર્કલ પાસે કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા તેનું મૃત્યુ (Accident Death in Surat) નિપજ્યું હતું. ત્યારબાદ લોકોએ ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો. જોકે, તેવામાં લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Accident Death in Surat : સુરતમાં કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા મૃત્યુ
Accident Death in Surat : સુરતમાં કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા મૃત્યુ

સુરત : લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી સર્કલ પાસે ગત રાત્રે 9 વાગે કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લઈ યુવાન 200 મીટર સુધી ઢસડી ગઈ હતી. અને ત્યાં જ વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ (Accident Death in Surat) નીપજ્યું હતું. આ જોતા જ રોષે ભરાયેલા લોકોએ અડફેટે લઇ ભાગતા ડમ્પરને રોકવા માટે તેની પર પથ્થર મારો કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. લોકોને હેમખેમ સમજાવી મામલો થાળે પડ્યો હતો. જોકે પોલીસે આ બાબતે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો- સુરતના કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક આઠમાં માળેથી નીચે પટકાતા મોત

અન્ય બેથી ત્રણ ડમ્પરો પર પણ લોકોએ પથ્થરમારો કર્યો

કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા વ્યક્તિનું ઘટના (Accident in Limbayat Area) સ્થળે જ મોત નીપજ્યું હતું. આ જોતા જ રોષે ભરાયેલા લોકોએ અડફેટે લઇ ભાગતા ડમ્પરને રોકવા માટે તેની ઉપર પથ્થર મારો કર્યો હતો. જોકે ત્યાં જ અન્ય બે થી ત્રણ ડમ્પરો પર પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો. લિંબાયત વિસ્તાર (Surat Limbayat Police) સંવેદનશીલ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો- Dead Child Found in Surat : પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો

આ ઘટનામાં લિંબાયત પોલીસની બેદરકારી કહી શકાય છે

આ ઘટનાને લઈને કહી શક્ય છે કે નિયમ પ્રમાણે શહેરમાં રાત્રે 11 વાગ્યા પહેલા ભારી વાહનો ફરી શકે નહિ. પરંતુ તે સમય પહેલા જ આવા ભારે વાહનો શહેરમાં ફરી રહ્યા છે. જોકે આવા વાહનો પોલીસની નજર હેકમ ચાલતી હોય એમ માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં લિંબાયત પોલીસની બેદરકારી કહી શકાય છે. કારણ કે, શહેરના સંવેદનશીલ વિસ્તાર હોવાથી બધી જ જગ્યાઓ ઉપર પોલીસ ઉભી હોય છે. અને ખાસ કરીને ઘટના સ્થળે પણ હોય જ છે. પણ ઘટના બનતી હોય એ સમય દરમિયાન પણ પોલીસ (Limbayat Accident Case) પણ જોવા મળી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.