ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં વધુ 227 કોરાના કેસ નોંધાયા

author img

By

Published : May 13, 2021, 10:57 PM IST

સુરત ગ્રામ્યમાં કોરાના કહેર યથાવત છે. આજે ગુરુવારે વધુ કોરાના વાઈરસના 227 પોઝિટિવ કેસ નોંધાયા છે. 6 દર્દીના મોત થયા છે. 2906 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે અને 358 દર્દીઓ સ્વસ્થ થયા છે.

News of Corona in Surat
News of Corona in Surat

  • ગ્રામ્યમાં આજે વધુ 227 પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરાનાના કારણે 6 દર્દીના થયા મોત
  • હાલ 2906 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ

સુરત : ગ્રામ્ય વિસ્તારમાં આજે ગુરુવારે કોરાના વાઈરસના 227 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરાના વાઈરસના કારણે આજે વધુ 06 દર્દીના મોત થયા હતા. પોઝિટિવ કેસોની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી- 19, ઓલપાડ- 35, કામરેજ-33, પલસાણા-16, બારડોલી-30, મહુવા-29, માંડવી-30, માંગરોળ-34, ઉમરપાડામાં 01 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે આજે ગુરુવારે થયેલા મોતની તાલુકા દીઠ વાત કરીએ તો કામરેજ - 01, પલસાણા-01, બારડોલી-02, મહુવા-01, માંડવી-1 મળીને ટોટલ 06 મોત થયા હતા.

આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં મે માસના 10 દિવસમાં નોંધાયેલાં કુલ 1,118 કેસમાંથી 728 કેસ ગ્રામ્ય વિસ્તારના

358 દર્દીઓ સ્વસ્થ થયા

હાલ ગ્રામ્ય વિસ્તારમાં 2906 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે. જ્યારે આજે ગુરુવારે વધુ 358 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.