ETV Bharat / state

Idriya Garh : હિમાલય પર્વત બાદ ઈડરિયા ગઢમાં થતી ટાઢોળી વનસ્પતિથી શરીરને શું ફાયદો થાય છે જાણો...

author img

By

Published : Apr 23, 2022, 12:09 PM IST

Idriya Garh : હિમાલય પર્વત બાદ ઈડરિયા ગઢમાં થતી ટાઢોળી વનસ્પતિથી શરીરને શું ફાયદો થાય છે જાણો...
Idriya Garh : હિમાલય પર્વત બાદ ઈડરિયા ગઢમાં થતી ટાઢોળી વનસ્પતિથી શરીરને શું ફાયદો થાય છે જાણો...

સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ (Idriya Garh) પર વેણી વચ્છરાજના કુંડમાં ટાઢોળી નામની વનસ્પતિ માથાની ગંભીર આધાશીશી જેવી બીમારીઓ દૂર થાય છે. તેમજ શરીરમાં રહેલી તજા (Veni Vachhraj Pond at Idriya Garh) ગરમી પણ દૂર થાય છે. શું છે કુંડનું વિશેષ મહત્વ (Importance of Tadholi Vegetation) અને કેમ પાતાળ કુંડ કહેવાય છે. વિગતવાર માહિતી જાણો...

સાબરકાંઠા : ગુજરાતના ઇડરિયા ગઢ પર (Idriya Garh) આવેલી વેણી વચ્છરાજના કુંડમાં થતી અતિ દુર્લભ ટાઢોળી નામની વનસ્પતિ શરીર માટે અદ્ભુત અહેસાસ કરાવે છે. આ વનસ્પતિ ધોમ ધખતા તાપમાં જો માથા પર મુકો તો ઠંડકનો અહેસાસ કરાવે છે. આ વનસ્પતિ માત્ર હિમાલય પર્વત અને ઇડર ગઢ જોવા મળે છે.

ઈડરિયા ગઢ પર આવેલા વેણી વચ્છરાજના કુંડમાં ટાઢોળી નામની વનસ્પતિનું મહત્વ

ઈડરિયા ગઢનો ઐતિહાસિક વારસો - કહેવાય છે કે, ઈડરિયા ગઢ પર આવેલી ઐતિહાસિક વારસો આજે પણ જીવિત છે. આ ઈડરિયા ગઢ અને ગઢ પર આવેલી વારસાઓની અનેક લોક વાયકા આપણે સૌ કોઈએ સાંભળી હશે. તેવી જ એક લોકવાયકામાં વખણાતો વેણી વચ્છરાજનો કુંડ જ્યાં ટાઢોડી નામની દુર્લભ વનસ્પતિ (Famous Vegetation of Gujarat) છે. ઉનાળાની ઋતુમાં કાળજાળ ગરમી વરચે ઉત્તર ગુજરાતનું ઈડર શહેર સૌથી વધારે ગરમ હોય છે. અરવલ્લીની ગિરિમાળાઓ વરચે વસેલું ઈડર(Veni Vachhraj Pond at Idriya Garh) શહેર દેશ વિદેશમાં વખણાય છે. આ ઈડરિયા ગઢ પર ચડાઈ કરવા માટે મુગલો અને અંગ્રેજોએ ચઢાઈ કરી પરંતુ કોઈ પણ મુંગલ કે અંગ્રેજો આ ઇડરિયો ગઢ જીતી શક્યા ન હતા.

ટાઢોળી વનસ્પતિ
ટાઢોળી વનસ્પતિ

આ પણ વાંચો : ભૂજના દેશલસર તળાવમાં ફરી ઉગી ઝેરી વનસ્પતિ જળકુંભી, આ સ્થળને પ્રવાસન સ્થળ જાહેર કરવાનો વિપક્ષે કર્યો કટાક્ષ

ઈડરગઢનો સુર દેશ-વિદેશમાં પ્રખ્યાત - ગાયકોના સુરીલા કંઠે ગવાયેલું ગીત અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો.. જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અહીં ઈડરના ઐતિહાસિક (Historical Heritage in Gujarat) વારસાને નિહાળવા માટે પ્રયટકો ઈડરની મુલાકાતે આવતા હોય છે. ઈડર ગઢ પર આવેલા વારસાની પોતાની અલગ ઓળખથી વખણાય છે અને તેનો ઇતિહાસ આજે પણ જીવિત છે. ઈડર ગઢ પંચમુખી મહાદેવ મંદિર પણ છે. વેણી વચ્છરાજ પાતાળ કુંડ (Veni Vanshraj Patal Kund) એક એવી દુર્લભ વનસ્પતિ કે જે હિમાલયના પર્વતો બાદ માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળે છે. જેનું નામ છે ટાઢોડી કુંડ.જે દુર્લભ વનસ્પતિ માથાના ભાગે મુકવાથી માથાની ગંભીર (Rare Plant in Eder) આધાશીશી જેવી બીમારીઓ દૂર થાય છે.

ઐતિહાસિક વારસો
ઐતિહાસિક વારસો

આ પણ વાંચો : કચ્છમાં બન્નીના ઘાસિયા મેદાનમાં ગાંડા બાવળને દૂર કરી દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર - આ વનસ્પતિથી શરીરમાં રહેલી તજા ગરમી પણ દૂર થાય છે. તેમજ શરીરની ગરમી હોય તો આ વનસ્પતિને માથે અથવા પગના તળિયે મૂકવાથી ગરમી દૂર થાય છે. આ વનસ્પતિ આ કુંડ માંથી કાઢીને શરીરના માથા અને પગના તળીયે મુકતા ગરમીનો પ્રકોપ વચ્ચે રાહત મેળવે છે. પરંતુ ઈડરિયા ગઢ પર આવેલી ઐતિહાસિક પાતાળ કુંડ આજે પણ તેના વિકાસની રાહ જોઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. આ કુંડની ચારે તરફ નજર નાખીએ તો તેનું જતન કરવાની બદલે તેનું પતન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઈડરીયા ગઢની અસ્મિતાની જાળવણી કરવી એ સરકાર તેમજ લોકોની છે. જો કે, કોઈ વિકાસની ગ્રાન્ટ હેઠળ આ ઐતિહાસિક વારસાઓને પ્રવાસન વિભાગ હેઠળ વિકાસનો વેગ આપવામાં આવે તો પ્રવાસી માટે વધુ આકર્ષણ બને તેમ છે. પર્યટકોનો વધારો થાય તો સ્થાનિકોને પણ (Tourist Place in Gujarat) રોજગારી ઊભી થાય તેમ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.