ETV Bharat / state

ધોરાજીમાં કમોસમી વરસાદ સાથે મકરસંક્રાંતિએ મંદીનો માહોલ, વેપારીઓ ચિંતામાં મૂકાયા

author img

By

Published : Jan 13, 2020, 4:57 PM IST

રાજકોટ: ગુજરાતમાં આ વર્ષે 100 ટકાથી પણ વધારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. રાજ્યમાં વાયુ અને મહા વાવાઝોડાના કારણે પણ જગતના તાતના પાકમાં નુકસાન થયું હતું. મકરસંક્રાંતિના તહેવારમાં ગણતરીના કલાકો બાકી છે. મકરસંક્રાંતિના તહેવારે મંદીનો માહોલ છે.

dhoraji
ધોરાજી

રાજકોટના ધોરાજીમાં સોમવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ અને માવઠું વરસ્યું હતું. ધોરાજીમાં પતંગ ચગવતા લોકો અને વેપારીઓમાં મદીનો માહોલ છે. મકરસંક્રાંતિના તહેવારમાં પતંગની ખરીદી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે મકરસંક્રાંતિના તહેવારમાં પણ મંદીનો માહોલ છે. 50થી 60 ટકા સુધીના પતંગના માલનું વેચાણ થયું નથી.

ધોરાજીમાં કમોસમી વરસાદ સાથે મકરસંક્રાંતિએ મંદીનો માહોલ, વેપારીઓ ચિંતામાં મુકાયા

દેશમાં મંદી હોવાના કારણે પતંગના વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે. પતંગના વેપારીઓના મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ છે.

Intro:એન્કર : ધોરાજી માં પતંગ ચગાવતા લોકો અને વેપારીઓ માં કમોસમી વરસાદ અને મંદીના માહોલ વચ્ચે પતંગ માં પણ મંદી.

વિઓ : સમગ્ર ગુજરાતમાં સો ટકા થી પણ વધારે વરસાદ પડ્યો હતો અને શિયાળામાં પણ ઠંડી ની સાથે કમોસમી વરસાદ અને વાવાઝોડું ની અસર ને લીધે ખેડૂતો નો તમામ પાક નિષ્ફળ થઈ ગયેલ હતો અને હાલ મકરસંક્રાંતિ નો પવિત્ર તહેવાર નાં ગણતરી ની કલાકો જ બાકી રહી છે ત્યારે સવારથી જ વાદળ છાયુ વાતાવરણ અને કમોસમી વરસાદ પડતા ધોરાજી માં પતંગ ચગાવતા લોકો અને વેપારીઓ માં મંદી નો માહોલ જોવાં મળે છે વર્ષ દરમ્યાન એક જ વાર આવતો તહેવાર મકરસંક્રાંતિ માં પતંગ નું ધોમ વેંચાણ થાય છે પણ આ વખતે પતંગ માં મંદી નો માહોલ જોવાં મળે છે પચાસ થી સાઈઠ ટકા નો માલ હજુ પડ્યો છે અને ગણતરી ની કલાકો જ મકરસંક્રાંતિ ને આડે છે જેથી પતંગ નાં વેપારીઓ માં નુકશાન ની અથવા માલ પડ્યો રહેવાની ભીતિ સેવાઈ રહી છે.Body:બાઈટ - ૦૧ - પાર્થ દેસાઈ (પતંગ ના વેપારી - ધોરાજી)

બાઈટ - ૦૨ - રાકેશભાઈ સોજીત્રા (પતંગ ના વેપારી - ધોરાજી)Conclusion:મેનેજ કરેલ સ્ટોરી - થબલેન ફોટો નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.