ETV Bharat / state

Rajkot Suicide Case : રાજકોટમાં ઈજનેરની હત્યા મામલે SITની રચના

author img

By

Published : Jan 31, 2022, 9:28 AM IST

રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન શાખામાં એડિશનલ આસિસ્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પરેશ જોશી ન્યારી ડેમમાં પડીને આત્મહત્યા (Rajkot Suicide Case)કરી હતી. આ મામલે જોશી ના પરિવાર મનપાના અધિકારીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા SITની રચના કરવામાં આવી છે.

Rajkot Suicide Case : રાજકોટમાં ઈજનેરની હત્યા મામલે SITની રચના
Rajkot Suicide Case : રાજકોટમાં ઈજનેરની હત્યા મામલે SITની રચના

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર પરેશ જોશીએ ડેમમાં જંપ લાવીને આત્મહત્યા (Rajkot Suicide Case) કરી લીધી હતી. ત્યારબાદ પરેશ જોશીના પરિવાર દ્વારા આત્મહત્યા મામલે મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના શારીરિક માનસિક ત્રાસનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મામલે હવે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા SIT (Special Investigation Teams) ની રચના કરવામાં આવી છે.

ઇજનેર આત્મહત્યા મામલે SITની રચના

પરેશ જોશીએ આત્મહત્યા કરી લેતા તેમના પત્ની અને પરિવાર દ્વારા મીડિયામાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પરેશ જોશીને કોન્ટ્રાકટ તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ એવા સીટી એન્જિનિયર વાય કે ગોસ્વામી અને ડેપ્યુટી ઈજનેર જતીન પંડ્યા સહિતના અધિકારી દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે આ મામલે અનેક વખત પરેશ જોશીએ રજૂઆત કરી હતી. ત્યારબાદ તેને આત્મહત્યા (Rajkot Manpa Engineer Commits Suicide) કરવાનું પગલું ભર્યું હતું. જો કે પોલીસે હજુ સુધી માત્ર બે જ કોન્ટ્રાક્ટની ધરપકડ કરી અન્ય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Suicide Case in Morbi: મોરબીમાં પિતાએ કમાણી ન કરતા ઠપકો આપતા, પુત્રએ આગ ચાંપી

બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટ બ્રહ્મ સમાજના લોકો દ્વારા પરેશ જોશીના આત્મહત્યા મામલે કમિશનર સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરાઈ હતી. જ્યારે પોલીસ કમિશ્નર દ્વારા પણ બ્રહ્મ સમાજના લોકોને આ મામલે નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય કહે કે બ્રહ્મ સમાજ દ્વારા આત્મહત્યા મામલે CID તપાસની માગણી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) મનોજ અગ્રવાલે SITની રચના કરી છે.

આ પણ વાંચોઃ Rajkot suicide case:રાજકોટ મનપાના એન્જીનીયરન આત્મહત્યા મામલે નોંધાઇ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.