ETV Bharat / state

Maha shivratri 2022: પંચનાથ મંદિર ટ્રસ્ટે બનાવી 900 લિટર ભાંગ

author img

By

Published : Mar 1, 2022, 3:14 PM IST

આજે મહાશિવરાત્રિનું પાવન (Maha shivratri 2022) પર્વ છે. ત્યારે વહેલી સવારથી જ આજે વિવિધ શિવાલયોમાં ભક્તોની શિવજીના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. એવામાં શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય હતી. જેને લઈને રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર (Panchnath Mahadev Temple)ટ્રસ્ટ દ્વારા શિવરાત્રિ નિમિતે ખાસ અંદાજિત 800થી 900 લીટર ભાંગ બનાવામાં આવી છે.

Maha shivratri 2022:  પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીમાં 900 લીટર ભાંગ બનાવાઈ
Maha shivratri 2022: પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીમાં 900 લીટર ભાંગ બનાવાઈ

રાજકોટ: આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. ત્યારે વહેલી (Maha shivratri 2022)સવારથી જ આજે વિવિધ શિવાલયોમાં ભક્તોની શિવજીના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. એવામાં શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય હતી. જેને લઈને આજના દિવસે ભક્તો પણ ભાંગનો(Worship of Shiva on Shivaratri) પ્રસાદ લેતા હોય છે. જેને લઈને રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી નિમિતે ખાસ અંદાજીત 800થી 900 લીટર ભાંગ(Prasad of bhang to Shivaji )બનાવામાં આવી છે.

પંચનાથ મંદિર

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભાંગની પ્રસાદનું વિતરણ નહિ

જ્યારે કોરોના મહામારીના(epidemic of corona)કારણે મોટાભાગના તહેવારો અને ધાર્મિક ઉત્સવ લોકોએ ઘરમાં જ ઉજવ્યા હતા. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટ્યા છે. એવામાં સરકાર દ્વારા પણ કોરોનાના પ્રતિબંધ હળવા કર્યા છે. એવામાં આજે શિવરાત્રી નિમિતે મોટાભાગના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. જેને લઈને રાજકોટમાં પણ પંચનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે શિવરાત્રીના દિવસે અંદાજીત 50 હજાર જેટલા ભક્તો દર્શન માટે આવશે.

આ પણ વાંચોઃ Mahashivratri Melo 2022 : મહાદેવે ધારણ કરેલા પ્રતીકોનું છે અનોખું મહત્વ, જાણો

શિવજીને ભાંગ અતિ પ્રિય હતી: પૂજારી

જ્યારે આજે પંચનાથ મંદિર દ્વારા 900 લીટર ભાંગ બનાવમાં આવી છે. આ અંગે પંચનાથ મંદિરના પૂજારી એવા ઇન્દ્રવદન શાંતીલાલ ત્રિવેદીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે મહાદેવને પ્રાકૃતિક વસ્તુઓ ખૂબ જ પ્રિય હતી. જ્યારે આ પ્રાકૃતિક વસ્તુઓમાંથી જ ભાગનું નિર્મળ કરવામાં આવે છે અને ભાંગ પીવાના કારણે સમાધિની અવસ્થામાં જતા રહેવાય છે જેના માતે શિવજીને ભાંગ અતિપ્રિય હતી. તેમજ હાલમાં હોળી અને ધૂળેટીએ પણ ભાંગ લોકો પિતા હોય છે એવામાં મહાશિવરાત્રી નિમિતે ભાંગની પ્રસાદી લેવાનો અનેરો મહિમા છે. જેને લઈને શિવજીના મંદિરે આજે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Mahashivratri Melo in Junagadh : મહાશિવરાત્રીના મહાપર્વમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, હૈયાથી હૈયું મળતા દ્રશ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.